તખ્તેશ્વર- નવપરા વોર્ડના સેવાસેતુ કાર્યક્રમમાં ૪૮૦ લોકોના પ્રશ્નોનો નિકાલ

968

રાજય સરકાર દ્વારા સરકારી વહીવટમાં કાર્યક્ષમતા, પારદશર્કતા, સંવેદનશીલતા વધે તથા જવાબદારી પણાની ભાવના સાથે પ્રજાભિમુખ વહીવટનો લાભ જાહેર જનતાને મળે તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. તે અંતર્ગત ભાવનગર મહાપાલિકા દ્વારા આજરોજ ચોથા તબક્કાનો ૧રમો સેવા સેતુ કાર્યક્રમ ભાવનગર (પુર્વ) વિધાનસભા વિસ્તારના તખ્તેશ્વર – નવાપરા વોર્ડ, મોતીબાગ ટાઉનહોલ, ભાવનગર ખાતે યોજાયેલ. આ કાર્યક્રમમાં મેયર મનહરભાઈ મોરી, કોર્પોરેટર સુરેશભાઈ ધાંધલ્યા, કલ્પેશભાઈ વોરા, જલ્વીકાબેન ગોંડલીયા, પારૂલબેન ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી, નાયબ કમિશનર એ.ડી. ગોવાણીની ઉપસ્થીતિએ કાર્યક્રમને વધુ વેગવાન બનાવ્યો હતો. ગુમાસ્તા ધારા હેઠળના લાયસન્સ, આવકનો દાખલો, સોંગદનામું, રેશનકાર્ડ, આધારકાર્ડ, માં અમૃતમ કાર્ડ, નિરાધાર વૃધ્ધ સહાય, આરોગ્યલક્ષી સેવાઓ વગેરે વિવિધ સેવાઓ સંબંધિત પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવેલ હતો. જેમાં આશરે ૪૮૦ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

Previous articleપત્રકાર મેઘા પંડયાનું ચંડીગઢમાં સન્માન
Next articleકેટી હોમ્સ જેમી ફોક્સ સાથે પેરિસમાં લગ્ન કરવા તૈયાર