પરીક્ષાર્થીઓને ૧૦ હજારનું વળતર આપો : શંકરસિંહ

606

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ પણ લોકરક્ષક દળની પરીક્ષા રદ થવાના મામલે ભાજપ સરકાર પર ચાબખા માર્યા હતા અને લોકરક્ષક દળની પરીક્ષા આપવા આવેલા તમામ પરીક્ષાર્થી ઉમેદવારોને દસ હજાર રૂપિયાનું વળતર આપવા સરકારને માંગણી કરી હતી. જો ઉમેદવારોને વળતર નહી ચૂકવાય તો, આ તમામ ઉમેદવારો મારી આગેવાની હેઠળ સરકાર સામે સચિવાલય સુધી રેલી આગામી દિવસોમાં કાઢશે. સરકારનું આખુ તંત્ર ફુટેલુ છે તેથી આવી પેપર લીક થવાની ઘટનાઓ ઘટે છે.

Previous articleપેપર લીકમાં ફરિયાદ દાખલ કરાશે : ડીજીપી
Next articleભરતીના નામે લાખો યુવાનોના ભવિષ્ય સાથે સરકાર દ્વારા ચેડા – શક્તિસિંહ