હંસદેવ આયુર્વેદ, કુદરતી ઉપચાર કેન્દ્ર દ્વારા નઃશુલ્ક નેચરોપેથી કેમ્પ યોજાયો

983

હંસદેવ આયુર્વેદ અને કુદરતી ઉપચાર કેન્દ્ર દ્વારા આયોજીત ફ્રિ નેચરોપથી કેમ્પમાં નિર્ધારિત દર્દીઓને નિઃશુલ્ક કુદરતી ઉપચાર પદ્ધતિથી સારવાર આપવામાં આવેલ. આ કેમ્પની શરૂઆત ડૉ. પ્રશાંતભાઈ આસ્તિક તથા ગજાનનભાઈ દવેના હસ્તે દીપપ્રગટ્ય સાથે કરવામાં આવેલ. જન જાગૃતિના હેતુસર કરવામાં આવેલ આયોજનમાં ખૂબ જ સારો પ્રતિભાવ મળેલ એ બદલ સંસ્થા સહુનો આભાર માને છે તથા ભવિષ્યના આયોજનમાં પણ આવા જ સહકારની અપેક્ષા રાખે છે. આ કેમ્પમાં ડૉ. પ્રકાશભાઈ ગોહિલ, ડૉ. નિખિલભાઈ ધ્રાંગધરીયા, ડૉ. દર્શનભાઈ વ્યાસ, ડૉ. ભાવેશભાઈ પટેલિયા ઉપરાંત ડૉ. પરેશભાઈ વાઘેલા તથા ડૉ. નીલમબેન ભગાયતા એ ખૂબ જ સરાહનીય કામગીરી કરી હતી. આ કેમ્પની સંપૂર્ણ સફળતા માટે સંસ્થાના સેવારત ડૉ. અવિનાશભાઈ દવે તથા ડો. સુભલબેન દવે એ જહેમત ઉઠાવેલ હતી.

Previous articleઅંજાર ખાતે વહીવંચા બારોટ સમાજનું સ્નેહમિલન યોજાયું
Next articleસિમરીયાની રામકથામાં ઇતિહાસ રચાયો