અંજાર ખાતે વહીવંચા બારોટ સમાજનું સ્નેહમિલન યોજાયું

1090

ચંદવંશી વહીવંચા બારોટ કચ્છ અંજાર ખાતે રાજયમંત્રીસ વાસણભાઈ આહિરની અધ્યક્ષતામાં જિલ્લા તાલુકાના વહીવંચા બારોટ સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના પ્રદેશ પ્રમુખ શંભુજીરાવ તેમજ શાંતીબાપુ સહિત અનેક સંતો મહંતોએ બારોટ તત્વની જાંખી કરાવી હતી.

ચંદવંશી વહીવંચા બારોટ કચ્છ અંજાર ખાતે વહીવંચા બારોટ સમાજના સ્નેહમિલન કાર્યક્રમ રાજયમંત્રી વાસણભાઈ આહરીની અધ્યક્ષતામાં યોજાયો. જેમાં વહીવંચા બારોટ સમાજ માટે કામ કરતી વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના પ્રદેશ પ્રમુખ શંભુજીરાવ બારોટ, સચીવાલયથી જેન્તીભાઈ બારોટ, બારોટ સમાજના સંત શિરોમણી શાંતિદાસ બાપુ, સંતો મહંતોની હાજરી રહેલ તેમજ વંશાવલી સંસ્થાની સોરાષ્ટ્રના ૩૧ જિલ્લાની જવાબદારી સોંપાઈ. તેવા રાજુલાથી અમરૂભાઈ બારોટ, રાજકોટથીક નકભાઈ બારોટ તેમાંથી અમરૂભાઈ બારોટની ઉપસ્થિતિ તેમજ બારોટ સમાજના મહાસંગઠની તૈયારી માટેના આયોજનનો સર્વે જીલ્લા તાલુકા બારોટ સમાજના થનગનાટથી છેક દક્ષીત દરિયાથી ઉત્તર દરિયા કાંઠે અંજાર સુધી આવતા રાજુલાથી બારોટ સમાજના ખ્યાતનામ ધમભા બારોટ, કુમાર દેવ બારોટ, દેવાંગ બારોટ, તળાજાથી કિસન બારોટ, રાજકોટથી બારોટ સમાજ પ્રમુખ વશરામભાઈ બારોટ, તેમજ ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી તેમજ વિશેષ બારોટ સમાજમાં અંદરો અંદર ગોળ પ્રથાને તોડી સૌ સાથે મળી કચ્છ-ભુજન બારોટ સમાજ એક તાંતણે બંધાઈને મહા સંગઠન તરફ લઈ જવા અને તે સંગઠનને જયા જરૂર પડે ત્યાં રાજયમંત્રી વાસણભાઈ આહિર કહેલ કે બારોટ સમાજ રાષ્ટ્રની સર્જનથી આજ સુધી હિન્દુ સંસ્કૃતિનો માત્ર ને માત્ર બારોટ સમાજ છે તો અમોને યાદ કરો સંગઠીત બનો અને ગુજરાત રાજયમાં બારોટ સમાજની લીગલી સંખ્ય્‌ કેટલી છે તેનેી અમોને ફાઈલ આપો તો બને તેટલી વેલાસર અને ગુજરાતભરના વહીવંચા બારોટ સમાજના ઉત્કર્ષની પ્રોસીઝર શરૂ કરી શકાય તેમ અંતમા કહેલ તેમજ આ પ્રસંગે અજર બારોટ સમાજને બારોટ સમાજવાડી બનાવવા રૂા. ૧ લાખની જાહેર કરતા શંભુભાઈ આહિર જાહેરાત કરતા સમસ્ત બારોટ સમાજમાં ખુશીનો માહોલ છવાયો અન્ય સમાજ બારોટ યજમાનને પ્રેરણાદાયક સૌપ્રથમ પગલુ આવા ભવ્ય સ્નેહમિલનના આયોજકોએ દરેક આમંત્રીત મહેમાનોને ચંદબરદાઈજીની પ્રતિમા અને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ પલરાજભાઈબ ારોટ, પાલાભાઈ રબારી ધર્મ જાગરણ સંયોજક સહિત પ૦૦ બારોટ સમાજને ભોજન વ્યવસ્થા પણ ચંદવંશી બારોટ સમાજ દ્વારા કરવામાં આવી હતી.

Previous articleદામનગર નગરપાલિકા ખાતેથી સ્વચ્છતા અભિયાન રથનું પ્રસ્થાન
Next articleહંસદેવ આયુર્વેદ, કુદરતી ઉપચાર કેન્દ્ર દ્વારા નઃશુલ્ક નેચરોપેથી કેમ્પ યોજાયો