અમે ૨૦૧૯માં લોકસભામાં ગુજરાતની તમામ બેઠકો જીતીશું : રૂપાણી

496

પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુંવજી બાવળિયાની જીત થઈ છે. ત્યારે આ જીતની ભાજપ કાર્યાલય કમલમ ખાતે પાર્ટી કાર્યકરોએ ઉજવણી કરી હતી. કમલમ ખાતે પાર્ટી કાર્યકરોએ ફટાકડા ફોડીને, જીતની ઉજવણી કરી હતી. તો ત્યાં પહોંચેલા સીએમ વિજય રૂપાણીનું મોં મીઠુ કરાવીને વિજયોત્સવ ઉજવ્યો હતો. વિજય રૂપાણીએ આ જીત સાથે કહ્યું કે હવે ગુજરાતમાં ભાજપ પાસે ૧૦૦ ધારાસભ્યો છે. સાથે કહ્યું કે આ જીત કોંગ્રેસના ખોટા નાટકો સામેની જીત છે. સાથે કહ્યું સૌરાષ્ટ્રમાં હજુ જનતા ભાજપ સાથે છે. તેવો વિશ્વાસ પ્રગટ કર્યો હતો. અને આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ફરી એક વખત ભાજપ ૨૬ લોક સભાની બેઠક મેળવશે તેવો દાવો પણ કર્યો છે.

તો ખેડૂતોની મુશ્કેલીના મુદ્દા અંગે રૂપાણીએ કહ્યું કે સરકાર ખેડૂતો માટે પુરતા પ્રયત્નો કર્યા છે. પરંતુ કોંગ્રેસ લોકો વચ્ચે ખેડૂતોના ખોટા મુદ્દા સાથે નાટક કરી રહી છે. કુંવરજીભાઇએ કહ્યું કે વિકાસ કરવો હોય તો ભાજપમાં આવી જાવ અને આજે એને ગદ્દાર કહેવાવાળાને જવાબ મળ્યો છે. જસદણમાં વિકાસ વ્યાજ સાથે આપીશું.

Previous articleવિકાસ પર ભરોસો રાખજો ખેડૂતની ચિંતા અમે કરીશું : બાવળિયા
Next articleકોંગ્રેસે ગુમાવ્યો ‘અવસર’ : ‘બાવળ’માં ખીલ્યુ ‘કમળ’