બુદ્ધિસાગરસુરીશ્વરજી મહારાજા ના સમુદાય ના પૂ. હિતદર્શીતાશ્રીજી સાધ્વીજી મ. સા. ની ૧૦૦મી આયંબીલ ની ઓળીના પારણા નિમિત્તે શરૂ થયેલા પંચાનિકા મહોત્સવ ના પ્રથમ દિવસે પ. પૂ. આચાર્ય શ્રી અમૃતસાગરસુરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. આચાર્ય શ્રી અજયસાગરસુરીશ્વરજી મ. સા. આદિઠાણા નો તથા પૂજ્ય સાધ્વીજી મ. સા.નો પ્રવેશ તથા ઉજવણી કરવામાં આવી હતી.