કોંગ્રેસ દ્વારા રાજયપાલ ઓ.પી. કોહલીને આવેદનપત્ર અપાયું

808

કોંગ્રેસ દ્વારા વી. એસ. હોસ્પિટલની યથાવત અને તેના હાલના દરો ચાલુ રાખવાની માંગણી સાથે રાજયપાલ ઓ. પી. કોહલીને એક આવેદન પત્ર આપી માંગણી કરી છે. કોંગ્રેસ પક્ષ માનવતાને મૂળભૂત રીતે વરેલો પક્ષ હોવાથી મધ્યમ વર્ગ અને ગરીબ લોકો માટે વી. એસ. હોસ્પિટલ એ જીવાદોરી સમાન છે. નવી બનેલ વી. એસ. હોસ્પિટલના આવકાર સાથે ગરીબ દર્દીઓને મફત સારવાર મળી રહે તેવા શુભાશયથી વર્તમાન વી. એસ. હોસ્પિટલને યથાવત રાખવા માટેની માંગ કોંગ્રેસે કરી છે. અને રાજયપાલને મધ્યસ્થી કરી રાજય સરકાર અને મ્યુનિસીપલ કોર્પોરેશનના સત્તાધિશોને ગરીબોને ન્યાય આપવાની માંગણી કરી છે.

Previous articleજયંતિ ભાનુશાળીનો દેહ પંચમહાભૂતમાં વિલીન
Next articleગુજરાત કોંગ્રેસમાં નારાજગી બાદ હવે તોળાઈ રહેલાં મોટા ફેરફાર