દામનગરની સરદાર નંદીશાળામાં દાતા દ્વારા ૧૩ ગાડી નિરણનું દાન

680

દામનગર મકરસંક્રાતિના પાવન પર્વે પરમાર્થ પર્વાચક્ર કોઈને કોઈ દાન ધર્મ પરોપકાર કરુણાની શીખ અર્પે છે આજે મકરસંક્રાતિના પાવન પર્વે ભવાની જેમ્સના મનજીભાઈ ધોળકિયા દામનગર શહેરની સરદાર નંદીશાળામાં તેર ગાડી નિરણ સાથે રોકડ સખાવત કરી અબોલ જીવો પર કરુણા વરસાવતા ઉદારદિલ દાતાનું સંસ્થા સંકુલમાં ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું હતું બિન વારસી બળદોની સેવા શ્રુશુતા કરતી સંસ્થામાં આશરો લઈ રહેલ મુક જીવોની સેવાથી ખૂબ ખુશી વ્યક્ત કરી તેર ગાડી નિરણ સાથે રોકડ રકમ આપી મકરસંક્રાતિના પાવન પર્વે પરમાર્થનું સુંદર કાર્ય કરતા મનજીભાઈ ધોળકિયાને સંસ્થા માં સત્કારતા ભગવાનભાઈ નારોલા ગોરધનભાઇ આસોદરિયા રજનીભાઇ ધોળકિયા રણછોડભાઈ બોખા શ્રેણિકભાઈ ડગલી મગનભાઈ નારોલા વિનુભાઈ નારોલા માધવજીભાઈ સુતરિયા રાકેશભાઈ સુતરિયા ધીરૂભાઇ નારોલા અમરશીભાઈ નારોલા ઘનશ્યામભાઈ ધોળકિયા જસાભાઈ હુંમલ વિનુભાઈ નારોલા મનસુખભાઈ નારોલા લાભુભાઈ સિદ્ધપરા સહિત અનેકો સ્વંયમ સેવકો ની સરાહનીય સેવા ઓ ને બિરદાવી હતી.

Previous articleસિહોર તાલુકા સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ સંગઠનની કરાયેલી રચના
Next articleતળાજાના વિદ્યાર્થીઓ મુખ્યમંત્રીને મુલાકાતે