પોલીસના હેડક્વાર્ટરમાં પોલીસના જ વાહન સલામત નથી, તો પ્રજાનું શું?

669

શહેરની પોલીસ ભલે કાયદો-વ્યવસ્થા કાબુમાં હોવાની ગુલબાંગો પોકારતી હોય, પરંતુ ખુદ તેના હેડક્વાર્ટરમાં જ જ્યાં તેના ખુદના વાહનો સલામત નથી, ત્યારે શહેરની પ્રજાની સલામતી કેટલી હશે એ ચિંતા ઉપજાવે છે. મંગળવારે માધવપુરા પોલીસે અમદાવાદ શાહીબાગ ખાતે આવેલા પોલીસ હોડક્વાર્ટરમાં પોલીસના જ વાહનોમાંતી ચોરી કરતા બે પોલીસપુત્રોની ધપકડ કરી છે. બંને આરોપી પોલીસપુત્રોએ ૪-૫ ગાડીઓ માંથી ૩૫૦ લીટરથી વધુ ડીઝલની ચોરી કરી હોવાની કબુલાત કરી છે.

પોલીસના એમટી સેક્શનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા સરજીતસિંહ મંગળવારે તેમની નોકરી પર ચડ્‌યા હતા. એ સમયે તેઓ જ્યારે પોતાની ગાડીમાં બેઠા ત્યારે જોયું કે તેમની ગાડીની ડીઝલની ટાંકીનું ઢાંકણું ખુલ્લું છે. આથી, તેમને ડીઝલ ચોરીની શંકા ગઈ હતી. તેમણે નીચે ઉતરીને જોયું તો ગાડીમાં ડીઝલ ઓછું હતું.

આથી સરજીત સિંહે તાત્કાલિક એમટી વિભાગમાં જાણ કરી હતી. વિભાગના અન્ય કર્મચારીઓએ જ્યારે બહાર આવીને તપાસ કરી તો ત્યાં રહેલા અન્ય વાહનોના ડીઝલની ટાંકની ઢાંકણા ખુલ્લા જોવા મળ્યા હતા. ત્યાર બાદ વધુ તપાસ કરતાં એક ગાડીમાં નુકસાન જોવા મળ્યું હતું. થોડે દુર તપાસ કરતા એક ગાડી જેમાં સાઈડ લાઈટ તૂટેલી હતી અને તે ગાડીના ટાયરના નિશાન પણ જોવા મળ્યા હતા. પોલીસ ટાયરના નીશાન સાથે ચાલીને આગળ પહોંચી તો ત્યાં એક કાર પાર્ક કરી હતી, જેની સાઈડ લાઈટ અને મેઈન લાઈટ તુટેલી હતી.

પોલીસે તપાસ કરતાં આ કાર પોલીસ હેડક્વાર્ટરમાં જ રહેતા એક પોલીસકર્મીના પુત્ર દર્પણસિંહ રાઠોડની અને બીજી કાર અન્ય એક પોલીસ કર્મીના પુત્ર સિદ્ધરાજસિંહ સોલંકીની  હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે હાલ તો શંકાના આધારે આ બંને પોલીસપુત્રોની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના પુત્રો જ જ્યારે ગેરકાનુની ધંધા કરતા પકડાતા હોય, પોલીસના જ વાહનમાંથી ડીઝલ ચોરી કરતા હોય ત્યારે આ બાબત મોટી ચિંતા ઉપજાવે છે.

Previous articleધેધુ એસ.ટી.નું પીકઅપ બસસ્ટેન્ડ જર્જરીત
Next articleગાંધીનગર-અમદાવાદ વચ્ચે STની ૪૦ ઈ-બસ દોડશે : હાઇવે પર ર્ચાજિંગ સ્ટેશન બનશે