ગઢડા સ્વામીના ચિરોડા ખાતે સાધુ સમાજના સમૂહલગ્ન સંપન્ન

826

ગઢડા. સ્વામીના ચિરોડા મુકામે આધ જગતગુરૂ શંકરાચાર્ય જન્મજયંતિ સમિતિ આયોજીત  પ્રથમ સમુહલગ્નોત્સવ યોજાયો તા૧૦/૨  વસંતપંચમી રવિવારના શુભદિને ગઢડાના ચિરોડા મુકામે શ્રી આધ જગતગુરૂ શંકરાચાર્ય જન્મજયંતિ સમિતિ આયોજીત પ્રથમ સમુહલગ્નોત્સવ યોજાયેલ જેમા ૧૧ નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડેલ.સમારોહ ના અધ્યક્ષસ્થાને નરેશભાઇ કેવડીયા(કેવડીયા કન્સ્ટ્રકશન) ભીમજીભાઇ કેવડીયા રહેલ સમારોહ મા ઉપસ્થિત અન્ય મહાનુભાવોમા, સોમગીરીજી,સંત જસુભારથીબાપુ, ચેતનભારથી સુરત, ધમઁસંસદ ૧૦૦૮ ત્રુષિપુરી, મહંત ધીરજપુરી, સવાઇપુરીબાપુ,ગળધરા ખોડીયાર મહંત જયસુખપુરી, ધીરુપુરી, દડવા મહંત અક્ષયપુરી, પ્રવિણગીરી, મુકેશભારથી, ડો.કલ્પેશગીરીના,  ડો.મનોજગીરી, કાતિભારથી બાપુ, ગુણુબાપુ, ડો.શૈલેષપુરી વગેરે ઉપસ્થિત રહેલ,આ પ્રથમ સમૂહલગ્ન મા રાજકીય, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે,ભોજન ના દાતા નરેશભાઇ કેવડીયા(કેવડીયા કન્ટ્રકશન-અમદાવાદ)છે તેમજ  દાતાઓના દ્વારા કન્યાઓને ઘરવપરાશની સો ઉપરાંત ચીજવસ્તુઓ કરિયાવર મા આપવામાં આવશે, સ્ટેજ સંચાલન હિતેશગીરી રૂપાવટી  દ્વારા કરવામાં આવેલ,સમગ્ર આયોજન ને સફળ બનાવવા શ્રી આધ જગતગુરૂ શંકરાચાર્ય જન્મજયંતિ સમિતિના જગદીશગીરી, કાનપુરીબાપુ, ગણપતગીરી,  મહાદેવગીરી, ચંદ્રકાંતગીરી, રમેશગીરી, મહેશગીરી, દશઁનગીરી, વિનેશગીરી, આશિષગીરી, વિજયગીરી, શિવમગીરી, રુદ્રગીરી તેમજ ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામા આવેલ.

Previous articleધંધુકાથી લીબંડીનો માર્ગ બિસ્માર હાલતમાં
Next articleકુંભારવાડામાં ચાર ફલેમિંગો પક્ષીના મોત