વિધાનસભાના સત્રની શરૂઆતમાં રાજયપાલે ગૃહને સંબોધ્યું

595

ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રની શરૂઆતમાં ગુજરાતના રાજયપાલ ઓમપ્રકાશ કોહલીએ સંબોધન કર્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ રાજયપાલને આવકાર્યાં હતા. રાજયપાલના સંબોધન પછી વિધાનસભા ગૃહની બેઠક ૧૫ મિનિટના વિરામ પછી મળી હતી.

ધારાસભ્ય ડૉ. નિમાબેન આચાર્યએ રાજયપાલના સંબોધન બદલ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીએ અનુમોદન આપ્યું હતું.

Previous articleડભોડા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા ૧૧ લાખથી વધુની રકમની સહાયનો ચેક કલેકટરને અર્પણ કર્યો
Next articleવિકાસના નામે કપાઈ રહેલાં વૃક્ષો બચાવો : પર્યાવરણ પ્રેમીઓ