જાફરાબાદ ખારવા સમાજ દ્વારા શહિદોને શ્રધ્ધાજંલિ

625

જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે થયેલ આતંકી હુમલામાં ૪૪ શહિદ થયેલ જવાનોને અશ્રુભીની શ્રધ્ધાંજલિનો દેશ આપી રહ્યો છે. પરંતુ જફારાબાદમાં રહેતા અને દરિયામાં જીંદગીનો વધુ સમય પસાર કરતા ખારવા માચ્છિમાર ભાઈઓ હાલ એક માસ વેકેશન ઉપર હોય તેમણે બંદર ઉપર મોટી સંખ્યામાં હાજરી આપેલ. પાકિસ્તાન વિરોધી નારા તો ખુબ લાગ્યા પણ દેશના વિર જવાનોને શ્રધ્ધાંજલિ આપી અને કામનાથ મહાદેવ તેમની આત્માને શાંતિ આપે તે માટે બે -મિનિટ મૌન પણ પાળવામાં આવેલ જેમાં ખારવા સમાજ જાફરાબાદના પટેલ નારણભાઈ નરેશભાઈ તેમજઅ ાગેવાનો વડિલો અને મોટી સંખ્યામાં યુવાનો દેશ દાજ સાથે પાકિસ્તાનને પાઠ ભણાવવા સુત્રોચ્ચાર કર્યા હતાં.

Previous articleપાલિતાણા મસ્લિમ સમાજ દ્વારા શ્રધ્ધાંજલિ
Next articleધંધુકા સોસાયટીના રહીશો દ્વારા શ્રધ્ધાજંલિ