તળાજાના શેત્રુંજી પુલ નજીક અકસ્માતમાં બાખલકાના પુર્વ સરપંચનું મોત નિપજયું

1488

ભાવનગર મહુવા માર્ગ પર આજે ટેન્કર અને બાઈક ચાલક નો ધડાકા ભેર અકસ્માત સર્જાયો હતો જેમા બાખલકા ગામ ના અગ્રણી અને સતત ૧૦ વર્ષ સુધી બિન હરીફ સરપંચ રહેલા ે સમાજ સેવક દયાળભાઈ જાદવભાઈ (કોળી) ઉ.વ. ૫૫ નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માત સર્જાતા રોડ પર લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામ થઇ ગયેલ. પોલીસ ને જાણ કરતા પોલીસે કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા અને લાશ ને પીએમ અર્થ ખસેડી હતી અને ટ્રાફિક ખુલ્લો કરવા મા આવેલ અને હોસ્પિટલમાં અને માર્ગ પર સમાજ અને સામાજિક કાર્યકરો દોડી આવ્યા હતા ટ્રક ન. યુ. પી. ૭૦એફસી૮૨૨૦ ના ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી બાખલકા ગામે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

Previous articleડેકોરેશન માટે લગાડેલી ઈલે. લાઈટ ચોરતો હેન્ડલ ઝડપાયો
Next articleભાજપ દ્વારા શહેરમાં વિજય સંકલ્પ રેલી યોજાઈ