રાજયના લાખો પેન્શનરો ગમે ત્યાંથી પેન્શન લઈ શકશે

594

રાજ્યના પેન્શનરો હાલ સરકાર તરફથી ખુશખબર મળી રહ્યા છે. રાજ્યના પેન્શનરો માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે રાજ્યના લાખો પેન્શનરોને તેનો લાભ મળવા જઇ રહ્યો છે. તેઓ હવે રાજ્યમાં અને રાજ્યની બહાર પેન્શન કચેરીથી સરળતાથી પેન્શન મેળવી શકશે.

રાજ્ય સરકારે પેન્શનરો માટે લીધેલા નિર્ણયમાં હવે તેઓ કોઇ પણ જગ્યાએ પેન્શન મેળવી શકશે. એટલે સંજોગો વસાત કોઇ પેન્શનર રાજ્યની બહાર ગયો હોય તો પણ તેને રાજ્ય અને રાજ્ય બહારથી સરળતાથી પેન્શનના રૂપિયા મળી જશે.

આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળેલી બેઠકમાં પેન્શનરો માટે આ નિર્ણય લેવાયો હતો, જેના કારણે રાજ્યના લાખો પેન્શનરો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

સરકારે પેન્શનરો માટે લીધેલા નિર્ણયમાં તેઓ રાજ્યમાં અને રાજ્યની બહાર પેન્શન કચેરીથી સરળતાથી પેન્શન મેળવી શકશે, જેના માટે સરકારે નિયમોમાં ધરખમ ફેરફાર કર્યા છે.

Previous articleશિક્ષકોની નોકરી સળંગ ગણવા તથા એસટીના કર્મચારીઓને સાતમું પગારપંચ આપવા નિર્ણય
Next article‘પૂરાવા માટે કોંગી નેતાઓને પ્લેન સાથે બાંધી પાક. મોકલો’