રાજૌરીમાં મુસાફરો ભરેલી ગાડી ખીણમાં ખાબકીઃ છ લોકોના મોત

487

જમ્મૂ-કશ્મીરના રાજૌરીમાં મુસાફરો ભરેલી એક ગાડી ખીણમાં ખાબકતા છ લોકોનાં મોત થયા છે. શનિવાર રાત્રે ટાટા મેજિક રાજૌરીથી દરહલ તરફ જનારા રોડ પર ધાંદકોટથી ૪૦ ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી.તો આ દુર્ઘટનામાં છ લોકોના મોત જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હાલ સારવાર હેઠળ છે. ઇજાગ્રસ્તને સારવાર અર્થે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જમ્મૂમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, મુસાફરો ભરેલી આ ગાડી સબ્જી ગામ જઈ રહી હતી. ત્યારે ચાલકે એક વળાંક પર સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ. આ ઘટનાની જાણ સ્થાનિકોને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને બચાવ અભિયાન હાથ ધર્યું. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે.

Previous article૧૫ કિન્નરોએ એક સાથે કર્યા સમુહ લગ્ન, સંવિધાનનો માન્યો આભાર
Next articleબિહારમાં રેલવે દુર્ઘટના, તાપ્તી-ગંગા એક્સપ્રેસના ૧૪ ડબ્બા પાટા પરથી ઉતર્યા