પારો વધુ વધ્યો : હિટવેવથી લોકો ભારે પરેશાન દેખાયા

1721

અમદાવાદ સહિત ગુજરાતભરમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. આજે ગરમીના પ્રમાણમાં વધુ વધારો થયો હતો. આગામી ચાર દિવસ સુધી હિટવેવની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. આજે આગઝરતી ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. આજે અનેક જગ્યાએ પારો ૪૨થી પણ ઉપર પહોંચ્યો હતો જેમાં સુરેન્દ્રનગરમાં ૪૨.૩, ભુજમાં ૪૨નો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોટાભાગના વિસ્તારોમાં પારો ૪૧ સુધી પણ રહ્યો હતો. અમદાવાદમાં પારો ૪૧.૩ સુધી પહોંચ્યો હતો. લોકો બપોરના ગાળામાં ત્રાહિમામ પોકારી ગયા હતા. ફરીએકવાર હિટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, વડોદરા, સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગોમાં હિટવેવનું મોજુ ફરી વળે તેવી સંભાવના છે. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની પૂરી શકયતા છે ત્યારે લોકો અત્યારથી જ બળબળતીથી ગરમીથી ત્રાહિમામ્‌ પોકારી ગયા છે. મહત્તમ તાપાનમાં સતત વધારો થતાં લોકો પરેશાન થયેલા છે. સાથે સાથે બાળકો અને મોટી વયના લોકો બિમારીના સકંજામાં આવી ગયા છે.  આ ઉપરાંત કેટલીક જગ્યાએ ૪૨થી પણ ઉપર પારો પહોંચી ગયો હતો. કાળઝાળ ગરમીનો અનુભવ બપોરના ગાળામાં લોકોએ કર્યો હતો અને રસ્તાઓ સુમસામ બન્યા હતા. કાતિલ ગરમીથી લોકો હવે પરેશાન થવા લાગ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે, ઉત્તર ગુજરાત ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠાના જુદા જુદા ભાગોમાં સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અનેક વિસ્તારોમાં તીવ્ર ગરમીનું મોજુ ફરી વળ્યું છે. અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ કાતિલ ગરમીનું મોજુ ફરી વળ્યું છે.

અમદાવાદ માટેની આગાહીમાં પણ ચિંતાજનક બાબતદર્શાવવામાં આવી છે.  વધતી જતી ગરમીને લઇને લોકો હવે સાવચેત થઇ ગયા છે. બપોરના ગાળામાં પંખા અને એસીનો ઉપયોગ ભરપુર થવા લાગી ગયો છે. આજે જુદા જુદા વિસ્તારોમાં પારામાં આંશિક ફેરફાર થયો હતો. અમદાવાદમાં આવતીકાલે મહત્તમ તાપમાન ૪૧ રહી શકે છે. વધતી જતી ગરમી વચ્ચે બહારની ચીજવસ્તુઓ ટાળવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. હવામાન વિભાગના છેલ્લા ત્રણ દિવસના આંકડા અનુસાર, સમગ્ર દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે. હજુ તાપમાનમાં તીવ્ર વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં પારો વધ્યો છે.

Previous articleલોકસભા ચૂંટણીને લઇ કોંગી આજે ઉમેદવારો જાહેર કરશે
Next articleપાક વિમો ન મળતાં ખેડૂતો વિફર્યા : પોલીસ લાઠીચાર્જ