બીઆરટીએસ ટ્રેક પર જતી એસટી બસે આધેડને અડફેટે લેતાં મોત

634

સુરતનાં સરથાણા વિસ્તારમાં ગઇકાલે એટલે રવિવારે રાતે બીઆરટીએસનાં ટ્રેક પર જતી એસટીની બસે ૫૨ વર્ષનાં નરસિંહભાઇ ભીમજીભાઇ ચાવડાને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું છે. સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે રવિવારે રાતે સાડાનવ વાગ્યાની આસપાસ નરસિંહભાઇ ચાવડા બીઆરટીએસનાં ટ્રેક પરથી રસ્તો ઓળંગી રહ્યાં હતાં. તે જ સમયે ત્યાંથી એક એસટીની બસ બીઆરટીએસનાં ટ્રેકમાંથી જતી હતી.

પૂરપાટ જતી એસટીની બસે આધેડને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાની સાથે જ આસપાસનાં લોકો ત્યાં ભેગા થઇ ગયા હતાં અને પોલીસને જાણ કરી હતી. હાલ આધેડનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ મામલામાં બધાનાં નિવેદનો અને સીસીટીવી ફૂટેજ ચકાસીને વધુ તપાસ કરશે.

 

Previous articleન્યારી ડેમ ગંદકીનો ગઢ બનતા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
Next articleખારી નદીમાંથી ઝીંગાની નવી પ્રજાતિ મળી આવી