દહેગામ નજીક તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત, ૨નો બચાવ

800

જિલ્લાના દહેગામ તાલુકાના સંપા ગામે તળાવમાં ચાર બાળકો ડૂબી જવાની ઘટના બની હતી. જેમાં બે બાળકોના ડૂબવાથી મોત નિપજ્યાં છે. ડૂબી ગયેલા બંને બાળકોના મૃતદેહ દહેગામ નગરપાલિકાની ફાયરની ટીમે બહાર કાઢ્યા હતા. બપોરના સમયે ચારેય બાળકો તળાવમાં ન્હાવા પડ્‌યા હતા. મૃતક બાળકો ૧૩ અને ૧૫ વર્ષના અને સંપા ગામના જ રહેવાસી હતા.

Previous articleએકના ડબલની લાલચમાં હિંમતનગરના પિતા-પુત્રે ૧૧.૫૧ લાખ ગુમાવ્યા
Next articleઅરવલ્લી જિલ્લામાં આગના ૧૫થી વધુ બનાવો, રાજપુર ગામમાં ૧૦૦ મણ ઊભા ઘઉં ખાખ