અંજાર-મુંદ્રા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ યુવકના મોત

722

અંજારના સિનુગ્રા ગામે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ગત મોડીરાત્રે અંજાર-મુંદરા હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર ત્રણ યુવકના મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થયો હતો.

મળતી માહિતી પ્રમાણે સિનુગ્રાના વિનોદ મહેશ્વરી (ઉંમર-૨૪), નીતિન મહેશ્વરી (ઉંમર-૧૮), અને અશ્વિન મહેશ્વરી (ઉંમર-૧૮) યુવક મધરાત્રે ગામની નજીક હાઈવે હોટલ પર ચા પીવા જતા હતા. આ દરમિયાન હાઈવે પર આવેલા ચાંપલા માતાના મંદિર નજીક પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી. જેથી ત્રણેય રોડ પર ફંગોળાયા હતા. ગંભીર ઈજા થતા નીતિન અને અશ્વિનના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે વિનોદને સારવારઅર્થે રેફરલ હોસ્પિટલ ખસેડાયો હતો. સમયસર સારવાર ન મળતા તેનું પણ મોત નીપજ્યું હતું. હોસ્પિટલ તરફથી સમયસર સારવાર ન મળતા પરિવારજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્‌યો છે. પરિવારજનોએ મૃતદેહ ન સ્વીકારવા માટે ચીમકી ઉચ્ચારી હતી.

Previous articleરાપર નજીક નર્મદા કેનાલનો પુલ ધરાશાયી , ૪થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Next articleકોલવડા આર્યુવેદ કોલેજ, હોસ્પિટલને ટોબેકો ફ્રી બનાવવા પ્રતિજ્ઞા લેવાઈ