રાપર નજીક નર્મદા કેનાલનો પુલ ધરાશાયી , ૪થી વધુ લોકો ઈજાગ્રસ્ત

665

રાપર તાલુકાના નંદાસર નજીક આવેલી નર્મદા કેનાલનો પુલ ધરાશાયી થતા ૪થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઈજાગ્રસ્ત મજૂરોને ભચાઉની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

થોડા સમય પહેલા જ ગાંધીનગરથી આવેલી ટીમે અહીં નવો પુલ બનાવવા વિશે વાતચીત કરી હતી. પરંતુ સ્થાનિક અધિકારીઓએ માત્ર રિપેરીંગ ચાલુ રાખ્યું હતું. જેથી આજે વહેલી સવારે અચાનક પુલ ધરાશાયી થઇ જતા નંદાસર ગામના ૪ મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અધિકારીઓના નબળા કામને લઇને ગામના લોકોમાં ભારે રોષ ઉભરાયો છે.

Previous articleપાલિકાના ૩૯ વૃક્ષોની હત્યા કરવાના નિર્ણય સામે પર્યાવરણ પ્રેમીઓની રેલી
Next articleઅંજાર-મુંદ્રા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ યુવકના મોત