અમદાવાદ સહિતના અનેક ભાગોમાં પારો ૪૨થી ઉપર

752

અમદાવાદ સહિત ગુજરાતમાં ગરમીનું પ્રમાણ અકબંધ રહ્યું છે અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ૪૦થી ૪૨ સુધી રહ્યો છે. આજે પણ અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સુધી રહ્યું હતું. બપોરના ગાળામાં લોકોએ કાતિલ ગરમીનો અનુભવ કર્યો હતો અને લોકોએ બહાર નિકળવાનું ટાળ્યું હતું.

અમદાવાદ ઉપરાંત રાજ્યના જે ભાગોમાં પારો ૪૨થી ઉપર રહ્યો હતો તેમાં અમદાવાદમાં ૪૨, ગાંધીનગરમાં ૪૨, રાજકોટમાં ૪૨.૧, સુરેન્દ્રનગરમાં ૪૨.૮ અને કંડલા એરપોર્ટ ખાતે પારો ૪૨.૨ સુધી રહ્યો હતો. હિટવેવને લઇને કોઇપણ પ્રકારની ચેતવણી જારી કરવામાં આવી નથી પરંતુ લોકો ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. આજે અમદાવાદમાં પારો ૪૨ રહ્યા બાદ આવતીકાલે પણ ગરમીથી કોઇ રાહત નહીં મળે તેવા સંકેત છે.

બીજી બાજુ જનજીવન ઉપર પણ આની સીધી અસર થઇ હતી. બપોરના ગાળામાં રસ્તા સુમસામ દેખાતા તેની ચર્ચા લોકોમાં રહી હતી.

બીજી બાજુ તંત્રએ તીવ્ર ગરમીને ટાળવા માટેની ચેતવણી સામાન્ય લોકો માટે જારી કરી છે. જેથી લોકો પણ સાવચેત થયા છે. વધતી જતી ગરમી વચ્ચે કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું  ટાળવું જોઈએ.

બિનજરૂરીરીતે કામ વગર બહાર ન નિકળવા માટે પણ કહેવામાં આવ્યું છે. બાળકો અને મોટી વયના લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી એકવાર જોરદાર ગરમીનુ મોજુ ફરી વળ્યું છે.

Previous articleમોદી અને અમીત શાહ આજે ગુજરાતમાં
Next articleમાલ્યા ૨૮ દિવસમાં ડિઓજિયોને રૂ. ૯૪૫ કરોડની ચૂકવણી કરેઃ યુકે હાઈકોર્ટ