કૌટુંબિક ઝઘડામાં ભાઈએ કરી ભાઈની હત્યા, પત્ની, પુત્ર ઇજાગ્રસ્ત

633

ભાભરના બરવાળા ગામે કૌટુંબિક ઝઘડાના કારણે ભાઈએ ભાઈની હત્યા કરતા સમગ્ર પથંકમાં ચકચાર મચી ગઈ છે. પતિને બચાવવા વચ્ચે પડેલી પત્ની અને પુત્રને પણ ઈજાઓ પહોંચી હતી, જેથી બંન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાની જાણ થતા ભાભર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. ભાભર તાલુકાના બરવાળા ગામે વારંવાર ખોટી ફરિયાદની અદાવત રાખી ઘરમાં સૂઈ રહેલા જીવાભાઈ વાહજીભાઈ પરમાર ઉપર તેમના ભાઈ નરસીભાઇ વાહજીભાઈ પરમાર અને બે ભત્રીજા જગદીશ નરશીભાઈ પરમાર અને રણજીત નરશી પરમાર હથિયારો સાથે ઘરમાં ઘૂસી ગયા હતા, અને ખાટલામાં સુઈ રહેલા જીવાભાઈ પરમારને છરી વડે આડેધડ ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘરમાં લોહીના રેલા નિકળ્યા હતા. જ્યારે બચાવવા વચ્ચે પડેલી મૃતકની પત્ની ગીતાબેન જીવાભાઈ પરમાર અને તેમનો નાનો પુત્ર પણ ઘાયલ થયો છે. પોલીસને ઘટનાની જાણ થતા ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે આરોપી પિતા અને બે પુત્ર સામે કલમ ૩૦૭ અને ૩૦૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે ૧૧ઃ૦૦ કલાકે બનાવ બનતા ભાભર પંથકમાં ચકચાર મચી છે. બંને ઘાયલ માતા-પુત્રને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. મૃતકને બેરહેમી પૂર્વક હત્યા કરવામાં આવી છે.

Previous articleધોરણ ૧૦ અને ૧૨ના પુસ્તકોમાં ૧૦૦%નો વધારો
Next articleભાટ પાસે નદીના પટમાંથી ૪૦૦ લીટર વોશ ઝડપાયો