અગ્નિકાંડના ૩૦ દિવસ બાદ ફરી ધમધમતું થયું તક્ષશિલા આર્કેડ

477

સુરતના સરથાણામાં આવેલા તક્ષશિલામાં આગ લાગતા ૨૨ બાળકોના મોત થયા હતા. આ ઘટનાને આજે ૩૦ દિવસ પૂર્ણ થયા છે. ૩૦ દિવસ બાદ આજે ફરી એક વખત તક્ષશિલા આર્કેડમાં વેપારીઓએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે. આજે તક્ષશિલામાં હવન કરીને ફરીથી દુકાનો ખોલવામાં આવી છે.

મહત્વનુ છે કે, આજથી ૩૦ દિવસ પહેલા ૨૪ એપ્રિલના રોજ  ક્લાસીસમાં આગ લાગી હતી. ક્લાસીસમા આગ લાગતા ૨૨ માસૂમ બાળકોના મોત થયા હતા. આ ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યુ અને ક્લાસીસો સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

આ ઘટનામાં પોલીસ દ્વારા બિલ્ડર સહિતના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અગ્નિકાંડમાં પોલીસે અત્યાર સુધી ૯ અધિકારીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથધરી છે.

Previous articleબાડમેરમાં રામકથા દરમિયાન મંડપ ધરાશાયી થતા ૧૭ મોત
Next articleમેડિકલ-ડેન્ટલ પ્રવેશ પ્રક્રિયામાં ડોમિસાઇલ સર્ટિ.નો વિવાદ, નીતિન પટેલે કરી સ્પષ્ટતા