નરેન્દ્રભાઈએ કેશુભાઈના ઘરે જઈ સાંત્વના પાઠવી

836
gandhi1582017-2.jpg

નરેન્દ્રભાઈ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ આજે સવારે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલના દ્યરે પહોંચ્યા હતાં. થોડા દિવસ પહેલા કેશુભાઈના પુત્ર પ્રવિણભાઈ પટેલનું અમેરિકાના ડલાસમાં નિધન થયું હતું. નરેન્દ્રભાઈ મોદીએ કેશુભાઈના દ્યરે જઈને તેમને સાંત્વના પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકાના ટેકસાસ સ્ટેટના ડેલાસ શહેરમાં છેલ્લા ૧૫ વર્ષથી સ્થાયી થયેલા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલના બીજા નંબર પુત્ર પ્રવીણભાઈ પટેલ (ઉ.વ.૬૦)ને પ્રથમ ફેફસાની બીમારી બાદ હ્ય્‌દયરોગનો જીવલેણ હુમલો આવતા અવસાન થયું હતું. તેમના પરિવારમાં પત્ની સંગીતા અને એક પુત્ર, એક પુત્રીનો સમાવેશ થાય છે. પ્રવીણભાઈએ રાજકોટની પી.ડી. માલવિયા કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને ત્યારથી જ ઓશોના રંગે રંગાયેલા હતા તેઓ દર વર્ષે સોમનાથ, માધવપુર ઘેડના ઓશો આશ્રમની નિયમિત મુલાકાત લેતા હતા. અમેરિકામાં તેઓ રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે સંકળાયેલ હતા. તેમના અવસાન અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઘેરા શોકની લાગણી વ્યકત કરી કેશુભાઈ અને તેમના પરિવારજનોને દિલસોજી પણ પાઠવી છે.

Previous articleસસ્તા અનાજની દુકાનદારોની રાજ્ય વ્યાપી હડતાળની ચીમકી
Next articleબાપુ ગુજરાત નોલેજ વિલેજ ખાતે સન્માન સમારોહ યોજાયો