ટ્રેનની અડફેટે બે યુવકોનાં મોત નીપજ્યાં

410

મુંબઈથી આવતી બાંદ્રા-ઉદયપુર સુપરફાસ્ટ ટ્રેનની અડફેટે આવી જતા બે યુવકોનાં મોત થયા છે. અકસ્માત રવિવારે સાંજે ૮ઃ૩૦ની આસપાસ બન્યો હોવાની માહિતી મળી છે. બંને મૃતક યુવકોની ઉંમર ૨૫થી ૨૮ વર્ષ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ પોલીસે બંને યુવકોની ઓળખ કરવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. ટ્રેન નંબર ૧૨૮૮૫ બ્રાંદ્રા ટર્મિનસ-ઉદયપુર સુપરફાસ્ટે ઉધનાથી સુરત વચ્ચે કાંકરા ખાડી નજીક બે યુવકોને અડફેટે લીધા હતા. બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતની જાણ બાદ રેલવે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને મૃતકોની ઓળખ કરવા સુધીની કાર્યવાહી શરૂ કરી છે. ટ્રેનની ટક્કર બાદ યુવક ફંગોળાઈને ૨૫ ફૂટ દૂર ફેંકાયા હતા. પોલીસને આશંકા છે કે બંને યુવકો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા હોવા જોઈએ.શનિવારે ઉધના અને સુરત રેલવે સ્ટેશન વચ્ચે કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનની અડફેટે ત્રણ લોકો આવતા ચકચાર મચી ગઇ હતી. જેમાં ઘટના સ્થળે એકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે જણનું મોત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું હતું. રાજસ્થાનનાં એક જ પરિવારનાં ૬ યુવકો ઉધના સ્ટેશન પર ઉતરીને કોયલી ખાડીનાં ટ્રેક પર ચાલતાં ચાલતાં સુરત તરફ જઇ રહ્યાં હતાં. ત્યારે અચાનક ટ્રેન આવી જતા આ ગોજારો અકસ્માત થયો છે.

Previous articleઆઇટી રિટર્ન ભરવાની અંતિમ તારીખ ૩૧ જુલાઇઃ વિલંબ પર દંડ અથવા જેલ
Next articleદરેક પ્રાથમિક શાળાઓમાં વૃક્ષારોપણ કરવા આદેશ