ગુજરાત ચેમ્બરની એક્ઝીક્યુટીવ કમીટીમાં ભાવેણાના સુનિલભાઇ વડોદરીયાની નિયુક્તિ

474

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ સુનિલભાઇ વડોદરીયાની ગુજરાત મેમ્બર ઓફ કોમર્સની એક્ઝીક્યુટીવ કમીટીમાં નિમણુંક કરવામાં આવેલ છે. ગત વર્ષ ૨૦૧૮-૧૯ માં પણ તેઓએ ગુજરાત ચેમ્બરની એક્ઝીક્યુટીવ કમીટીમાં મેમ્બર તરીકે સેવાઓ આપેલ. રાજ્યકક્ષાના આ વેપારી મહામંડળમાં સુનિલભાઇને તેમની સક્રિય અને પરિણામલક્ષી કામગીરીને ધ્યાનમાં રાખી પુનઃ નિમણુંક આપવામાં આવેલ છે. જે ભાવનગર માટે ગૌરવની બાબત છે. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી તેમની આ નિમણુંકને આવકારી ગુજરાત ચેમ્બરના પ્રમુખ દુર્ગેશહબાઇ બુચ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવેલ.

Previous articleમધ્યપ્રદેશ સરકારે નર્મદા પાણી ગુજરાતમાં બંધ કરાતાં વિવાદ
Next articleઢસા આરજેએચ હાઇ.માં રાહતદરે નોટબુક વિતરણ