સુરેન્દ્રનગરમાં ડબલ મર્ડરઃ માતા અને  પુત્રીની હત્યા કરેલી લાશ મળતા ચકચાર

2576

સુરેન્દ્રનગર જિલ્લામાં લુંટ, હત્યા, ફાયરીંગ સહિતના બનાવોએ માઝા મૂકી છે ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં માતા અને પુત્રીની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

સુરેન્દ્રનગર જીલ્લામાં ગુનાખોરીનુ પ્રમાણ વધી રહયુ છે ત્યારે શહેરના રતનપર વિસ્તારમાં આવેલા રામેશ્વર ટાઉનશીપમાં રહેતી મહિલા ભાલિકાબેન દુર્લભભાઇ ભટ્ટની ઘરની બહાર તિક્ષ્ણ હથિયારો વડે હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેની જાણ આસપાસના લોકોએ પોલીસને કરતા ડ્ઢઅજીઁ સહિત જોરાવરનગર, વઢવાણ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

તેમજ વઢવાણ રોડ પર આવેલ શનીદેવના મંદિરના પટાંગણમાં સેવા પુજા કરતી મહિલા સુર્યાબેન દુર્લભભાઇ ભટ્ટ ઉ.વ. ૬૫ ની પણ હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં બન્ને મૃત્કો માતા અને પુત્રી હોવાનું બાહાર આવ્યું હતું. જ્યારે પોલીસે બન્ને લાશનો કબ્જો લઇ પી.એમ. અર્થે ખસેડવાની તજવિજ હાથ ધરી હતી શહેરી વિસ્તારમાંથી અલગ અલગ જગ્યાએ માતા અને પુત્રીની લાશ મળી આવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા.

પોલીસે ગણતરીના કલાકોમાં બન્ને હત્યાના આરોપી પરશોતમભાઈ લાલજીભાઈ ડોડીયાને ઝડપી પાડી વધુ પુછપરછ હાથ ધરી હતી જેમાં આરોપીની જમીન મૃત્કોએ પડાવી લીધી હતી. અંદાજે રૂપીયા પચીસથી ત્રીસ લાખ વ્યાજે લીધા બાદ બન્ને મૃત્કો દ્વારા કુલ મળી અંદાજે રૂપીયા બે કરોડની કડક ઉધરાણી કરવામાં આવતા માનસીક ત્રાસથી બન્ને હત્યા કર્યાનું કબુલાત આપી હતી વધુ પુછપરછ પોલીસ કરી રહી છે.

Previous articleઅંકલેશ્વરમાં ફૂટપાથ પર સૂતેલા કાવડિયાને અજાણ્યા વાહને ટક્કર મારતા મોતને ભેટ્યા
Next articleવડોદરામાં આધેડનું મોતઃ અંગના દાનથી પાંચને નવજીવન મળશે