૬ મહિના પહેલા લગ્ન કરનાર પરિણીતાનો આપઘાત, પિયર પક્ષે લાશ સ્વીકારવા ઈન્કાર કર્યો

879

શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક ૨૫ વર્ષીય પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. પિયર પક્ષ તેના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો અને માંગ કરી હતી કે સાસરિયા સામે ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી લાશને તેઓ નહીં સ્વીકારે. પરંતુ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી.

૨૫ વર્ષીય ભાવના રાવળના ૩૦ વર્ષીય હિતેશ રાવળ સાથે ૬ મહિના પહેલા જ લગ્ન થયા હતા. હિતેશ સાણંદમાં તલાટી તરીકે ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું છે.

મૃતક ભાવનાના શરીર પર મારના નિશાન જોવા મળતા પિયર પક્ષે ફરિયાદ નોંધ્યા બાદ જ લાશ સ્વીકારવા માટે માંગ કરી હતી. હિતેશ સહિત તેના ઘરના લોકો પરિણીતાના આપઘાત બાદ ઘર બંધ કરીને ફરાર થઈ ગયા હતા.

Previous articleસાબરમતી રેલવે સ્ટેશનથી ૨૩ કિલો ચરસ જપ્ત કરાયો
Next articleમાત્ર ૯ રૂપિયા માટે એસ.ટી કડંક્ટરને હાઇકોર્ટે મોટી સજા ફટકારી