સિહોરની વિદ્યામંજરી સ્કુલના વિદ્યાર્થીઓ ગૌત્તમેશ્વર પ્રવાસે

454

સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કુલમાં અભ્યાસ કરતા ધોરણ-૧૧ના વિદ્યાર્થીઓને ગૌત્તમેશ્વર મંદિર ખાતે મિની પિકનીકમાં લઈ જવાયા. આ મિની પિકનીક શિક્ષણના એક ભાગરૂપે કરવામાં આવેલ. જેમાં વિદ્યાર્થીઓએ ગૌત્તમેશ્વર મહાદેવના જુદા-જુદા સ્થળોની મુલાકાત લીધી હતી. તેમજ જુદી-જુદી રમતો રમી આનંદ પ્રાપ્ત કર્યો હતો. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અભીનય ગીતો તેમજ જુદી-જુદી પ્રવૃત્તિઓ કરાવી તેમના જ્ઞાનમાં વધારો કરાયો હતો. આ મિની પિકનીકને વિદ્યાર્થીઓએ તેમજ વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરિવારના સભ્યોએ હર્ષોલ્લાસ સાથે માણી હતી.

Previous articleજુના રાજપરા ગામેથી દિપડીના બે બચ્ચા પણ પાંજરે પુરાયા
Next articleશાકમાર્કેટ માળીની ખડકીમાં મોડી રાત્રે મકાનમાં આગ : ફસાયેલા ત્રણને બચાવાયા