લીનુસિંહ મહિલા આયોગને મળી, લગ્નના પુરાવા ના આપ્યા, ફરી આવશે ત્યારે તમામ પુરાવા રજૂ કરશે

500

સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા અને દિલ્હીની મહિલા લીનુસિંહ વચ્ચેના કથિત પ્રેમપ્રકરણ મામલે આજે લીનુસિંહ અમદાવાદ આવી છે. લીનુસિંહે રાજ્ય પોલીસ વડા સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ આજે ગુજરાત મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલિયાને મળ્યા હતા. જ્યાં તેણીએ ન્યાયની માગ કરતી રજૂઆત કરી હતી. આ અંગે મહિલા આયોગના લીલાબેન અંકોલિયાએ જણાવ્યું હતું કે લીનુસિંહે રાષ્ટ્રીય મહિલા આયોગમાં જે ફરિયાદ કરી હતી, તે સંદર્ભે આજે ગુજરાતમાં હાજર થયા છે. તેણીની રજૂઆત હતી કે તેમને ન્યાય મળે. તેમની રજૂઆત સાંભળતા તેણીની સાથે અન્યાય થયો હોવાનું જણાય છે. આ કેસની પોલીસ અને મહિલા આયોગ તપાસ કરી રહી છે. લીનુંસિંહ પાસે આઠ માસની બાળકી છે અને જો ખરેખર તપાસમાં આ બાબત હકીકત હોવાનું બહાર આવશે તો લીનુસિંહને ચોક્કસ ન્યાય અપાવશે.

લીલાબેને વધુમાં ઉમેર્યું કે, લીનુસિંહ પાસે આધાર-પુરાવા છે. બીજી વખત તેઓ વધુ આધાર પુરાવા લઈને આવશે. ગૌરવ દહિયાના મેસેજ અને ભરણપોષણ પેટે જે કંઈપણ આપ્યું છે. તે તમામ પુરાવા લઈ ફરી આવશે. લગ્નના કોઈ પુરાવા હજી રજૂ નથી કર્યા. બીજી વખત તેઓ તમામ પુરાવા સાથે રજૂ થશે. ગાંધીનગર પોલીસને જાણ કરી છે. ગૌરવ દહિયાને પોલીસ અને મહિલા આયોગે પણ બોલાવ્યા છે અને તેઓએ હાજર થવું પડશે. લીનુએ રાજ્યના પોલીસ વડાને મળીને દહિયા સામે પોતાની ફરિયાદ નોંધવા અને દહિયા તેની દીકરીને સ્વીકારવા તૈયાર નથી, તેને લઈ તેનો ડીએનએ ટેસ્ટ કરાવવાની માંગણી કરી છે.

લીનુસિંહે વધુમાં જણાવ્યું હતું કે ગૌરવ દહિયાએ મને છેતરી છે. મારી સાથે લગ્ન કર્યાના તમામ પુરાવાઓ છે, જ્યારે હું મારી દીકરીના ડ્ઢદ્ગછ ટેસ્ટ માટે પણ રાજી છું, ગાંધીનગર પોલીસમાં અરજી કરી હતી, પરંતુ તેનો હજુ સુધી કોઈ જવાબ ના આવતા અને પોલીસે પણ મારો કોઈ સંપર્ક ન કરતા મારે ગાંધીનગર આવવાની ફરજ પડી છે અને હું આજે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને મળીને પોલીસ કેસ થાય તે અંગેની રજૂઆત કરીશ અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ગુજરાતમાં જ રહીશ.

લીનુસિંહે થોડા દિવસ પહેલા આ કેસની તપાસ કરી રહેલી સમિતિ સમક્ષ દહિયાની કરણી અને કથનીની નાનામાં નાની વિગત રજૂ કરી છે. લીનુસિંહ આ સમિતિને જ્યારે પહેલીવાર મળવા ગઈ ત્યારે તપાસ સમિતિએ તેની પાસે પુરાવા માંગ્યા હતા. જેથી લીનુસિંહે ૨૦૦થી વધુ પેજના સ્ક્રીન શોટ, અને ગૌરવ તેણીને જ્યારે માર મારતો તેના ફોટોગ્રાફ આપ્યા હતા.

 

Previous article‘એક કલાક આપો, ડેન્ગ્યુને ઘરમાંથી કાઢો’ માટે AMCનું અભિયાન
Next articleરાજીવ ગાંધીની જન્મ જયંતિ પ્રસંગે વિવિધ કાર્યક્રમો થયા