અસામાજિક તત્વોનો આતંક…ધો-૧૨ના વિદ્યાર્થીની હત્યા કરતા ખળભળાટ

415

સુરતના લિંબાયત વિસ્તારમાં ધોરણ-૧૨માં ભણતા સાહિલ સૂર્યકાંત જોશી (ઉંમર ૧૮ વર્ષ) નામના યુવકની હત્યા કરવામાં આવી છે. મોડી રાત્રે વિસ્તારના અસામાજિક તત્ત્વો પત્થર તથા અન્ય તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી વિદ્યાર્થી પર તૂટી પડ્યા હતા. જેને કારણે તેનું મોત નિપજ્યું હતું. વિદ્યાર્થીના પરિવારજનોએ કહ્યું કે, અમારો દીકરો મિત્રો સાથે બહાર ગયો હતો. તે સોસાયટીની બહાર પાનના ગલ્લા પર ઉભો હતો. ત્યાં બહારથી કેટલાક યુવકો આવ્યા હતા. કોઈ બાબતે બોલાચાલી થઈ હતી, અને બાદમાં મારામારી થઈ હતી. એ યુવકોએ અમારા દીકરાને ઈંટ-પત્થરથી માર માર્યો હતો. તેના મિત્રો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. અમારા ત્યાં ગુંડાગીર્દી વધી છે, દારૂનું ખુલ્લેઆમ વેચાણ વધી રહ્યું છે. ટપોરીગીરી વધી ગઈ છે. અસામાજિક તત્વનો અડ્ડો બનીગ યો છે. અમને ન્યાય જોઈએ. જ્યા સુધી હત્યારાઓ પકડાય નહિ, ત્યાં સુધી અમે અમારા દીકરાનો મૃતદેહ અહીથી ઉઠીશુ નહિ. અમારી એક જ માંગ છે કે અમારા વિસ્તારમાં ગુંડાગીરી ખતમ થવી જોઈએ અને હત્યારાઓ પકડાવા જોઈએ. તેમની સામે કડકમાં કાર્યવાહી કરવી જોઈએ.

દીકરાને ગુમાવ્યાની જાણ થતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પિતા ઊંડા શોકમાં ડૂબી ગયા હતા. ગમગીન અવાજે તેમણે કહ્યું હતું કે, મારા દીકરાની હત્યા કરાઈ છે. ચાર-પાંચ યુવકો તેને મારીને જતા રહ્યા હતા. પત્થર પણ ગળા પર લગાવી દીધા હતા. તેમને પકડો અને કડકમાં કડક કાર્યવાહી કરો. હાલ મોટી સંખ્યામાં વિદ્યાર્થીના પરિવારજનો સુરતના સ્મીમેર હોસ્પિટલમાં પહોંચ્યા છે, જ્યાં તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે, હત્યારાઓ નહિ પકડાય ત્યાં સુધી અમારા દીકરાનો મૃતદેહ નહિ સ્વીકારીશું.

Previous articleગેંગસ્ટર મુકેશ હરજાણી મર્ડર કેસમાં સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડ્યા
Next articleખુદ પોલીસ જ અસુરક્ષિત..?!! કિન્નરે ધમકી આપી : ’જીવવા નહીં દઉં, છરી મારી દઈશ’