ગાંધી જયંતિ પર ફિટ ઈન્ડિયા રેલી યોજાઈ, અધિકારીઓએ મહાશ્રમદાન કર્યું

368

ગઈકાલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મજયંતિ હતો. ત્યારે ભારતમાં તેમની ૧૫૦મી જન્મજયંતિની ખાસ ઉજવણી કરાઈ રહી છે. જેને લઈને અરવલ્લી જિલ્લામાં ભિલોડા ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને ભિલોડા તાલુકાના અધિકારી, કર્મચારીઓ ફિટ ઈન્ડિયા રેલી અને મહાશ્રમદાન કર્યું હતું. તેમાં જિલ્લા કલેક્ટર, ડીડીઓ સહિતની આગેવાનીમાં રેલી યોજાઈ હતી. ભિલોડા ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને ડીડીઓની ઉપસ્થિતિમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરવા માટે લોકોને શપથ લેવડાવ્યા હતા. એનઆર વિદ્યાલયમાં સ્વચ્છતાના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.

તેમાં જિલ્લાના તમામ અધિકારીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઅંબિકા નિકેતન મંદિરમાં હાફ પૅન્ટ અને સ્કર્ટ પહેરીને જવા પર પ્રતિબંધ
Next articleસંતાનોએ પિતાને પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ધમકી આપી