સરતાનપર બંદર ગામે દિપસાગર પ્રા.શાળામાં નિબંધ સ્પર્ધા

381

તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે દિપસાગર પ્રાથમિક શાળા સરતાનપરમા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે નિબંધ સ્પર્ધા રાખવામાં આવી હતી. તેમા ૧થી૩ નંબર મેળવેલ વિદ્યાર્થીઓ ને શાળા તરફથી ઈનામ આપવામા આવ્યા હતા. વિદ્યાર્થીઓ પર્યાવરણને વધુ સહજતાથી અને અસરકારક રીતે સમજે તેનું સંવર્ધન કરે તેમજ રોજિંદા જીવન માં પર્યાવરણ પોષક બાબતો નું ધ્યાન રાખે  ઓર્ગેનિક અને ઝીરો બજેટિંગ કુદરતી ખેતી પાણીની બચત અને બિન પરંપરાગત ઊર્જા સ્ત્રોતો ના ઉપયોગથી ઊર્જા બચાવ જેવા પર્યાવરણ રક્ષાના સર્વગ્રાહી ઉપાયો ને આ પર્યાવરણ પ્રયોગ શાળા ના મુખ્ય હેતુઓ તરીકે રાખવાની વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

Previous articleભાવનગર એરપોર્ટ દ્વારા સ્વચ્છતાના શપથ લેવાયા
Next articleઆજે પાંચમું નોરતુઃ સ્કંદમાતાની પૂજા કરવી