મિસિંગ વૃષ્ટિ કેસ : માતાને મળ્યો પુત્રીનો ઈ-મેલ, કહ્યુંઃ ’ઘર છોડ્યાનું દુઃખ છે’

444

અમદાવાદ શહેરમાંથી વૃષ્ટી અને શિવમના ગુમ થવાના કેસમાં એક બાદ એક નવા વળાંક આવી રહ્યા છે. અત્યાર સુધી પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરતી હતી. ત્યારે હવે વૃષ્ટીએ તેની માતાને ઇ-મેલ કર્યો હોવાની માહિતી પોલીસને મળી છે. ઇ-મેલમાં વૃષ્ટીએ તેની માતાને લખ્યું છે કે, તેને નોકરી મળી ગઈ છે અને ઘર છોડ્યાનું તેને દુઃખ છે. આ વાતમાં તેણે શિવમનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. હાલ નવરંગપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે આઈપી એડ્રેસ આધારે તપાસ હાથ ધરી છે.

અમદાવાદના વસ્ત્રાપુર હાઇપ્રોફાઇલ વૃષ્ટી અને શિવમના ગુમ થવાના કેસમાં પોલીસને મહત્વની કડી મળી છે. વૃષ્ટીની માતાને ઇ-મેલ મળ્યો છે. આ ઇ-મેલ વૃષ્ટીએ કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ ઇ-મેલમાં તેણીએ લખ્યું છે કે, તેને નોકરી મળી ગઈ છે. સાથે તેણે બધાની માફી પણ માગી છે. આ ઇ-મેલમાં વૃષ્ટીએ શિવમ અંગે કોઈ ઉલ્લેખ ન કરાતા અનેક શંકાઓ ઉભી થઇ છે.

મેઈલમાં વૃષ્ટિએ લખ્યું હતું કે, હેલો મમ, તમે મારી ખૂબ ચિંતા કરી રહ્યા છો તેની સૌ પહેલા હું માફી માગુ છું. આવું કરવાનો મારો કોઈ ઈરાદો ન હતો. તમને દુઃખ પહોંચ્યું છે તેની હું માફી માગુ છું. એવી કેટલીક વસ્તુ હતી જેની સાથે હું રહી શકું તેમ ન હતી. તમે જ્યારે ગયા હતા, ત્યારે મને એક ખૂબ આધ્યાત્મિક અનુભવ થયો હતો, આ વાત મેં તમને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ અનુભવને કારણે મારે આવું પગલું ભરવું પડ્યું છે. હું તમને ઇ-મેલ કરીને કહેવા માગુ છું કે, હું એકદમ બરાબર છું. મને નોકરી મળી ગઈ છે.

મારા દરેક પગલે પપ્પાનો મને સાથ છે. માં, હું તમને ખૂબ પ્રેમ કરું છું. મને ખબર છે કે મારા ઘર છોડી જવાથી તમને ખૂબ દુઃખ થયું છે. પરંતુ, મને ખબર છે કે એક દિવસ તમે આ વાત સમજી શકશો.

Previous articleઉમિયા મા મંદિરથી શોભાયાત્રા બાદ યજ્ઞસ્થળે ભૂમિપૂજન-વિજયસ્થંભ આરોહણ કરાયું
Next articleયુવતીની છેડતી થતા નવરાત્રિના આયોજકોએ પિતા-પુત્રને ઢોર માર માર્યો