શહેરના માલધારી સોસાયટીમાં ગેસનો બાટલો સળગ્યો

715
bvn1632018-6.jpg

શહેરના ભરતનગર માલધારી સોસાયટી પાસેના ખુલ્લા પ્લોટમાં ગેસનો બાટલો સળગતા ફાયર દોડી ગયું હતું.શહેરના ભરતનગર માલધારી સોસાયટીમાં આવેલ મેહુલ પાનની બાજુમાં ખુલ્લા પ્લોટમાં ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગ્યાની જાણ હરેશભાઈ નામના વ્યક્તિએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર સ્ટાફ દોડી જઈ પાણીનો છંટકાવ કરી સળગતા બાટલાને ઓલવી નાખ્યો હતો. આ રીલાયન્સ ગેસનો બાટલો ગણેશભાઈ કુરજીભાઈ રાજસ્થાનીનો હોવાનું જાણવા મળ્યું હતું.

Previous articleઅકસ્માત મુકત ભાવનગર સેમિનાર યોજાયો
Next articleરોજમદાર કર્મીને કાયમી કરવા માંગ