મતદારો ચૂટણી કાર્ડની અવેજીમાં આ ૧૧ દસ્તાવેજો પૈકી  કોઇ એક દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકશે

527

ભારતનાં ચૂંટણી આયોગ, નવી દિલ્હીના જણાવ્યા અનુસાર વિધાનસભા અને લોકસભા સામાન્ય ચૂંટણી કે પેટા ચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ રજુ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહે છે. ભારતનાં ચૂંટણી આયોગે તેઓના તા. ૧૨/૧૦/૨૦૧૯ના પત્રથી સ્પષ્ટ કર્યુ છે કે, રાજ્યમાં તા.૨૧/૧૦/૨૦૧૯ના રોજ યોજાનાર ૦૮-થરાદ, ૧૬-રાધનપુર, ૨૦-ખેરાલુ, ૩૨-બાયડ, ૫૦-અમરાઈવાડી તથા ૧૨૨-લુણાવાડા વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી-૨૦૧૯માં ફક્ત ‘ફોટો સાથેની મતદાર કાપલી’ એકલી મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવા ઉપયોગમાં લઇ શકાશે નહી. મતદારો મતદાર ફોટો ઓળખકાર્ડની અવેજીમાં નીચે જણાવ્યા મુજબનાં ૧૧ દસ્તાવેજો પૈકી કોઇ એક દસ્તાવેજ રજુ કરી મતદાન કરી શકશે એમ, રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

જે અગિયાર દસ્તાવેજો પૈકી કોઇપણ એક દસ્તાવેજ રજૂ કરવાના છે, એમા પાસપૉર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, કેન્દ્ર/ રાજ્ય સરકાર, જાહેર સાહસ, પબ્લિક લીમીટેડ કંપનીઓ તરફથી તેમના કર્મચારીઓને આપવામાં આવતા ફોટા સાથેના ઓળખકાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક, પાનકાર્ડ, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર હેઠળ આરઈજીઆઈ દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, મનરેંગા હેઠળ આપવામાં આવેલ જોબ કાર્ડ, શ્રમ મંત્રાલય તરફથી આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યુરન્સ સ્કીમના ફોટા સાથેના સ્માર્ટ કાર્ડ, ફોટા સાથેના પેન્શન દસ્તાવેજો, સંસદ સભ્યો/વિધાનસભ્યો/ વિધાન પરિષદના સભ્યોને આપવામાં આવેલ અધિકૃત ઓળખકાર્ડ અને આધારકાર્ડનો સમાવેશ થાય છે.

બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી થયેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત ”અસલ પાસપોર્ટ” રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે એમ વધુમાં જણાવાયું છે.

Previous articleરાજ્યના ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશન તરીકે  પદભાર સંભાળતા પરેશ એસ. ધોરા
Next articleપીએમસી કાંડ : રેકોર્ડમાંથી ૧૦.૫ કરોડ કેશ ગાયબ છે