સગીર પુત્રી પર એકથી વધુ વાર દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદ

489

અમરોલી વિસ્તારમાં વલસાડ ખાતે રહેતી તથા સાત વર્ષ પહેલા બીમારીમાં પતિને ગુમાવનાર ફરિયાદી મહિલાએ તારીખ ૧૦-૬-૧૫ના રોજ અમરોલી પોલીસ મથકમાં પોતાની સગીર પુત્રી પર છેલ્લા ચાર વર્ષથી બળાત્કાર તથા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ધાક ધમકી આપવાના ગુના અંગે મૂળ બિહાર પટનાના વતની આરોપી અજય ગુડ્ડુ અશોક શર્મા અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. જે મુજબ સાત વરસથી પતિને બીમારીમાં ગુમાવનાર ફરિયાદી વિધવાએ ભોગ બનનાર સગીર પુત્રીના આરોપી પાલક પિતા અજય શર્માએ છેલ્લા ચાર વર્ષથી ફરિયાદી ગેરહાજરીમાં સગીર પુત્રી પર એકથી વધુ વખત બળાત્કાર ગુજાર્યો હતો.

આ કેસમાં ન્યાયિક કેસ કાર્યવાહી ચાલી જતા કોટી રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદ પક્ષે એ.પી.પી કિશોર રજૂઆતને માન્ય રાખી આરોપી અજય શર્મા અને તમામ ગુનામાં દોષિત ઠેરવ્યો હતો કર્યો છે. કોર્ટે આરોપીને બળાત્કાર ગુજારવાના ગુનામાં આજીવન કેદની સજા તથા દંડની સજા ફટકારી છે.

Previous article૧૧ સાયકલની ચોરી કરનાર લબરમૂછિયાને SOG ટીમે ઝડપી પાડયો
Next articleIAS ગૌરવ દહિયાનો સસ્પેન્શન ઓર્ડર ૩ મહિના લંબાવાયો