સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

676
bvn2232018-10.jpg

ભાવનાથ મહાદેવ મંદિર ભાવનગરની જગ્યામાં ભાવનાથ મહાદેવ મંદીર મિત્ર મંડળ તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલના ડોકટરો દ્વારા આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ તથા વિનામુલ્યે દવાઓના વિતરણનો કેમ્પ યોજવામાં આવેલ. આ સર્વરોગ નિદાન કેમ્પમાં આજુબાજુના વિસ્તારના લોકોએ આ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ આશરે ર૭૦ દર્દીઓએ લીધેલ હતો. આ નિદાન કેમ્પને સફળ બનાવવા આયુર્વેદ હોસ્પિટલના ડોકટરો, સ્ટાફ અને ભાવનાથ મહાદેવ મિત્ર મંડળના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ. 

Previous articleકુંભારવાડામાં હેમંત ચૌહાણનો ડાયરો
Next articleવિઠ્ઠલવાડી જીઆઈડીસી ખાતે ખુલ્લા પ્લોટમાં આગનો બનાવ