ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારીએ તેની વિવિધ માંગણી લઈ ઉગ્ર આંદોલન કરશે

979

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ સમાધાન મુજબ અમલીકરણ ન થતા આજરોજ તારીખ 24 11 2019 ને રવિવાર તાપી જિલ્લાના ડોલવણ તાલુકા માં પદમ ડુંગરી ઈકો ઝોન હોલમાં પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓ ને ૨૮મી થી રાજ્યભરમાં રિપોર્ટિંગ સિસ્ટમ ઠપ્પ કરવા આદેશ
આરોગ્ય મહાસંધ દ્વારા તાપીના પદમ ડુંગરી ખાતે યોજાયેલ એક્શન પ્લાન મિટિંગમાં આંદોલનના કાર્યક્રમો જાહેર થયા
ગુજરાત રાજ્યના પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે ગત ફેબ્રુઆરી માસ દરમિયાન ૧૩ દિવસ ની સફળ હડતાલ પછી તારીખ 27 2 2019 ના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષપણા હેઠળ સમાજની બેઠકમાં ૧ થી ૧૩ જેટલા નાણાંકીય અને વહીવટી પ્રશ્નો અંગે ટૂંક સમયમાં તબક્કાવાર નિરાકરણ લાવી આપવા સરકારશ્રી તરફથી લેખિત બાંહેધરી આપી હતી તે મુજબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ૧ થી ૧૩ પડતર પ્રશ્નોની દરખાસ નાણાં વિભાગને રજૂ કરી હતી પરંતુ રજૂ કરાયેલ દરખાસ્ત નાણાં વિભાગે સરકારે સ્વીકાર કરી કોઈપણ પ્રકાર કારણ આપ્યા વગર બે વખત તા.8.5.19 અને તા.10.5.19 .તા.14.5.19 ની તારખો એ પરત કરવામાં આવતા આરોગ્ય કર્મચારીઓ માં સરકારે કરેલ છેતરપિંડી થી રાજ્ય ભર માં આક્રોશ સાથે રોષ ભભૂકી ઉઠતા આરોગ્ય કર્મચારી મહાસંઘે ફરી આંદોલન નો માર્ગ અપનાવેલો છે


ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ના પ્રમુખશ્રી કિરીટસિંહ ચાવડા મહામંત્રી શ્રી વી. પી. જાડેજા અને મુખ્યકન્વીનર શ્રી સુરેશ ગામીત ની એક અખબારી યાદી માં જણાવીયા મુજબ આંદોલન સમયે થયેલા સમાધાન મુજબ એક પ્રશ્ન નો નિકાલ ના આવતા ફરી થી સરકાર માં લેખિત મૌખિક અને વારંવાર ની રજૂઆત માં સરકારે નનો ભણી દેતા તા.24.11.19 ના રોજ તાપી જિલ્લાના પડમડુંગરી ગામે 33 જિલ્લા ના હોદેદારો પ્રીતનિધિઓ વચ્ચે મહાસંઘ ના મુખ્ય કન્વીન સુરેશભાઈ ગામીતેં આંદોલન અંગે ના કાર્યક્રમો જાહેર કર્યા હતા જેને તમામ હોદ્દેદારો એ “આરપાર ની લડાઈ ” લડી લેવા નેમ વ્યક્ત કરી હતી


જાહેર થયેલા આંદોલન ના કાર્યક્રમો મુજબ (1)તા.28.11.19 ના રોજ થી તમામ કેડર ના કર્મચારીઓ ફરજ બજાવશે પરંતુ ઓનલાઈન કે ઓફ લાઇન કોઈ પણ રિપોર્ટ વડી કચેરીએ આપશે નઇ .(2)તા.9.12.19 ના રોજ ગુજરાત ના તમામ જિલ્લા મથકો એ એક દિવસ ના ધારણા ,રેલી કરી સરકાર ની કર્મચારી વિરોધી નીતિ સામે સુત્રોચાર અને દેખાવો કરશે .(3)તા.17.12.19 ના રોજ આરોગ્ય કમિશ્નરની કચેરીએ જિલ્લા ના કર્મચારીઓ સામુહિક રજુઆત કરવા જશે. તેમ છતાં કોઈ નિવડો ના આવે તો ત્યાર બાદ .(4) અન્ય ઉગ્ર આંદોલન ના કાર્યક્રમો આપવામાં આવશે .

તસ્વીર : ધમૅન્દ્રસિંહ સોલંકી (વલભીપુર)

Previous articleવન કી બાત સમગ્ર ગુજરાત ના SEZ સંકુલ મા 15000 થી વધુ વૃક્ષો નુ વાવેતર
Next articleટ્રાફિક નિયમન અંગે લોકજાગૃતિ આવે તેથી બાઇક રેલીનું આયોજન કરાયું