જીવનનો સાચો આનંદ રૂપિયા કે સત્તાથી મળતો નથી, પણ સારા સ્વાસ્થથી મળે છે : નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

480

જીવનનો સાચો આનંદ રૂપિયા કે સત્તાથી મળતો નથી, પણ સારા સ્વાસ્થથી મળે છે, તદુંરસ્ત સ્વાસ્થ
માટે હમેંશા જાગૃતિ રહેવું ખૂબ જરૂરી છે, તેવું આજરોજ ગાંધીનગર જિલ્લામાં કલોલ તાલુકાના ઇસંડ ગામથી
જિલ્લા કક્ષાના શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો આરંભ કરાવતાં નાયબ મુખ્ય મંત્રી શ્રી
નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું.નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, શીતળા અને પોલિયો મુક્ત આપણોદેશ બન્યો છે, તેમ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાંથી વર્ષ- ૨૦૨૫ સુઘીમાં જન અભિયાનકરીને ટી.બી. નામના રોગને દેશમાંથી જાકારો આપવાની નેમ કરી છે. તેને સાર્થક કરવા માટે રાજય સરકારે
સુચારું આયોજન કર્યું છે. ટી.બીની અતિ ગંભીર બિમારી ઘરાવતા વ્યક્તિની સારંવાર માટે સરકાર રૂપિયા ૧૫
લાખ સુઘીનો ખર્ચે કરવા કટિબદ્ધ છે.પહેલું સુખ તે જાતે નર્યા તે લોક કહેવતને યાદ કરીને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલેજણાવ્યું હતું કે, સારા સ્વાસ્થ થકી જ આપ પોતાના જીવનમાં દરેક પળનો આનંદ લઇ શકો છો. દેશ સહિતરાજયના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે અને તેમની તંદુરસ્તી પણ ખૂબ જરૂરી છે. સમગ્ર
ગુજરાતમાં આજથી શાળા આરોગ્ય કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ થકી બાળકોનાસ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે. જેમાં અતિ ગંભીર બીમારીવાળા બાળકોને તેમના રોગોની સારવાર
વિના મૂલ્યે આપવામાં આવે છે.

… ૧ …

Previous articleલાઠી શહેર માં પી એમ શંકર વિધાલય ખાતે થી પાલિકા પ્રમુખ ના વરદહસ્તે શાળા આરોગ્ય તપાસ નો પ્રારંભ કરાયો
Next articleગુજરાતમાં સુરક્ષા-સલામતિ-ગૂના નિવારણ વિષયક સજ્જતાના અભ્યાસ માટે ઉઝબેકિસ્તાન ડેલિગેશન ત્રિદિવસીય મૂલાકાતે