શિશુ વિહાર સંસ્થાના ઉપક્રમે તા.19 ડિસેમ્બરનાં રોજ નાગરિક સહાય કાર્યક્રમ

584

શિશુ વિહાર સંસ્થાના ઉપક્રમે તા.19 ડિસેમ્બરનાં રોજ નાગરિક સહાય કાર્યક્રમ શ્રી ધીરજલાલ દેસાઈ, શ્રી તારાબહેન મકવાણા,શ્રી નીતિનભાઈ બોટાદરા,શ્રી નિર્મળભાઈ વકીલ તથા શ્રી મૂળરાજસિંહ રાણાની વિશેષ ઉપસ્થિતિ માં યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆત બાલમંદિરનાં ભૂલકાઓના અભિનયથી કરવામાં આવેલ. તે ઉપરાંત સંસ્થા બાલમંદિરનાં અનુભવ વર્ગની બહેનો દવારા અભિનય તથા ક્રીડાગણનાં તાલીમાર્થિઓ દ્રારા ડિઝાસ્ટર મેનેજમેન્ટનું નિદર્શન યોજવામાં આવેલ.ઉપરાંત સંસ્થા પુસ્તકાલય નાં ઉત્તમ વાચકો,સીવણ સંચા સહાય મેળવનાર બહેનોની ઉત્તમ કામગીરીને પ્રોત્સાહિત કરવામાં આવેલ.આ પ્રસંગે સ્વ શ્રીમતી શારદા બહેન ધીરજલાલ દેસાઈ શિક્ષણ સહાય મેળવનાર તેજસ્વી બહેનોને પ્રોત્સાહન કરવામાં આવેલ હતાં. આ કાર્યક્રમનું સંચાલન શ્રી ચેતનાં બહેન ટેભાણી દવારા કરવામાં આવેલ.

Previous articleત્રાપજ ગામે વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૨૪૦ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપાયો
Next articleકુંભારવાડામાંથી તાજું જન્મેલું નવજાત શિશુ મળી આવ્યું