દિવ્યાંગ બાળકોએ ભારતના ભવિષ્યના સંદેશા સાથે પતંગોત્સવની ઉજવણી કરી

596

પી.એન.આર સોસાયટી સંચાલિત,શ્રી એન.આર શાહ મેમોરિયલ હોસ્પિટલ,તળાજા ખાતે ચાલતા મગજના લકવાગ્રસ્ત તથા મંદબુદ્ધિ દિવ્યાંગ બાળકોના પુનઃવર્સન કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ આપણા ભારત દેશના ભવિષ્ય માટે પાણી બચાવો,સ્વચ્છતા ત્યાં પ્રભુતા,જળ એજ જીવન,પ્લાસ્ટિક મુક્ત ભારત,સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત જેવા સંદેશા સાથે પતંગોત્સવ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.તેમજ બાળકોના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.સ્પેશ્યલ એજ્યુકેટર પંકજભાઇ કટકીયા દ્વારા બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.કાર્યક્રમ અંતર્ગત 30બાળકોને પતંગ-ફીરકી તેમજ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું.

Previous articleનિલમબાગ પોલીસ સ્ટેશનના ગેંગ કેસના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
Next articleનાગરિકતા કાનૂન જનજાગૃતિ અભિયાન અંતર્ગત શહેર ભાજપા દ્વારા પ્રભાતફેરી