ગાંધીનગર ચૈાધરી સમાજ દ્વારા એક હજાર પક્ષી પરબનું વિતરણ કરાયું

840
gandhi2832018-4.jpg

ગાંધીનગર ચૌધરી સમાજ દ્વારા સેકટર-૭ના શોપીંગ ખાતે ગાંધીનગરના રહીશોને એક હજાર જેટલી પક્ષી પરબનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર આંજણા(ચૌધરી) સમાજના પ્રમુખ કનુભાઇ ડી ચૌધરીએ જણાવ્યું હતું કે, દર વર્ષે ઉનાળાની ગરમીની શરૂઆત થતાં પક્ષીઓ માટે પક્ષી પરબનું વિતરણ કરવામાં આવે છે. બીજા તબક્કામાં સેકટર-૨૧ શાકમાર્કેટ તથા સેકટર-૨૪ ખાતે બીજી એક હજાર જેટલી પક્ષી પરબનું વિતરણ કરાશે. આ પ્રસંગે સમાજના જીતુભાઇ ચૌધરી પૂર્વ પ્રમુખ, સતીષ ચૌધરી ખજાનચી તથા સર્વે મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં. 

Previous articleસરકાર વાલીઓના હિતમાં કાનૂની લડત લડી ૨હી છે : ભૂપેન્દ્રસિંહ
Next articleપંચાયતો અને વિધાનસભામાં દિવ્યાંગોને અનામત આપવા માગ