‘પાંચજન્ય-ઓર્ગેનાઇઝર : રાષ્ટ્રીય વિચારોની યાત્રા’ વિષયક બે દિવસીય વિચાર ગોષ્ઠી સંપન્ન

1806
gandhi342018-2.jpg

રાષ્ટ્રીય અસ્મિતા તેમજ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં રાષ્ટ્રીય વિચારના ઉદઘોષક એવા પાંચજન્ય અને ઓર્ગેનાઇઝર સાપ્તાહિક-પત્રિકાની ભૂમિકા ખૂબ જ અગત્યની રહી છે, તેમ આજે ગાંધીનગર ખાતે ‘પાંચજન્ય-ઓર્ગેનાઇઝર’ રાષ્ટ્રીય વિચારોની યાત્રા’ વિષયક બે દિવસીય વિચાર ગોષ્ઠીના સમાપન સત્રમાં રાજ્યપાલે જણાવ્યું હતું.
કોહલીએ ‘પાંચજન્ય’ હિન્દી સાપ્તાહિક અને ‘ઓર્ગેનાઇઝર’ અંગ્રેજી સાપ્તાહિકની ૭૦ વર્ષની દિર્ઘયાત્રા માટે શુભેચ્છા આપતાં કહ્યું હતું કે, આ પત્રિકાઓના રાષ્ટ્રીયતા અને સ્વદેશીના સ્થાયી ભાવે ગમે તેવી પ્રતિકુળ પરિસ્થિતિમાં તેમને શક્તિ આપી છે. આ પંચજન્ય પત્રિકાના સંપાદક તરીકે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેઇ જેવા અનેક નિષ્ઠાવાન મહાનુભાવો રહ્યા છે. આ પત્રિકાઓના સંપાદન માટે વૈચારિક નિષ્ઠા ખૂબ જ જરૂરી છે. સ્વદેશી અથવા વિદેશીના સંઘર્ષ વચ્ચે આ પત્રિકાઓએ સમગ્ર દેશમાં સ્વદેશી વિચારોને વધુ સુદ્રઢ બનાવ્યા છે. આજે ૭૦ વર્ષ બાદ પણ આ પત્રિકાઓની વિશ્વસનીયતા અકબંધ છે. આઝાદી બાદ અનેક વિચાર ધારાઓ સામે આ પત્રિકાઓએ લડત આપી છે. આ માત્ર પત્રિકા નથી પણ એક ચળવળ છે, એક મિશન સાથે રાષ્ટ્રને જોડવાનું કામ કરે છે, તેમ પણ શ્રી કોહલીએ આ પ્રસંગે ઉમેર્યું હતું. 
નીતિનભાઇ પટેલે પાંચજન્ય અને ઓર્ગેનાઇઝરના ૭૦ વર્ષ નિમિત્ત અભિનંદન આપતાં કહ્યું હતું કે, રાષ્ટ્રીયતાના વિચારો દેશના લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય આ બન્ને પત્રિકાઓ એ કર્યું છે. એટલા માટે તેનું વાંચન જરૂરી છે. ‘આઝાદી પહેલા થી શરૂ થયેલા આ પત્રોમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી બાજપાઇએ સંપાદક તરીકે કાર્ય કર્યું છે. એટલે જ માનવહિત-કલ્યાણના વિચારોનો આ પત્રો થકી પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતી ભાષામાં રાષ્ટ્રીય વિચારોના પ્રદાનમાં ‘સાધના’ સાપ્તાહિકની ભૂમિકા અગત્યની રહી છે. 

Previous articleમહાત્મા મંદિર ખાતે વિજય રૂપાણીએ ‘આપદા મિત્ર’ તાલીમનો પ્રારંભ કરાવ્યો
Next article ગાંધીનગર ઉડિયા સમાજ દ્રારા રાજયપાલની ઉપસ્થિતમાં  ઉત્કલ દિવસની ઉજવણી કરાઇ