રંઘોળા નજીક હાઈ-વે ચક્કાજામ, બાળઝાળ

734
bvn432018-4.jpg

એસસી-એસટી એક્ટમાં ફેરફાર વિશે સુપ્રીમ કોર્ટમાં નિર્ણય સામે દલિત સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે. જેના પગલે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધના પડઘા ગુજરાતમાં અને ભાવનગર જિલ્લામાં પણ જાવા મળી રહ્યા છે. ત્યારે દલિત સંગઠન હાલ રંઘોળા  હાઇવે પર ભાવનગર રાજકોટ રોડ ચક્કાજામ કરવામાં આવ્યો છે હાઈવે પર ટાયરો સળગાવ્યા છે ભાવનગર રાજકોટ હાઇવે બંધ કરાયો છે ટાયરોને સળગાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રÌšં છે અને હાઇવે પર વાહનોની કતારો લાગી છે અને પાલીતાણા ડીવાયએસપી એસઓજી ઉમરાળા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

Previous article વધતી ગરમીના કારણે હવે જનજીવન ઉપર પણ અસર
Next articleNMC બીલના વિરોધમાં હડતાળ : દર્દીઓ બેહાલ