સિહોરમાં ટ્રક ચાલકે સ્કૂટર ચાલકને અડફેટે લેતાં ૧૭ વર્ષીય સગીરનું કમકમાટીભર્યું મોત

230

ઘવાયેલા બે યુવાનોને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ભાવનગર જિલ્લાના સિહોરમાં પાલિતાણા થી ભાવનગર સ્કૂટર પર ત્રિપલ સવારીમા આવી રહેલ નવ યુવાનોને એક ટોરસ ટ્રક ના ચાલકે અડફેટે લેતાં ૧૭ વર્ષીય સગીરનુ કરૂણ મોત નિપજ્યું હતું જયારે અન્ય બે યુવાનોને સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં.સમગ્ર બનાવ અંગે પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના પાલિતાણા માં રામ સોસાયટીમાં રહેતો ધ્રુવરાજ જયુભા રાણા ઉ.વ.૧૭ તથા તેનાં બે મિત્રો જેમાં જયદિપ ચંદુભાઈ મકવાણા તથા જય ગોરધનભાઈ સોલંકી સવારે સ્કૂટર લઈને ત્રિપલ સવારીમા ખરીદી કરવા ભાવનગર આવી રહ્યાં હતાં દરમ્યાન સિહોર પહોંચતા દાદાની વાવ નજીક એક ટોરસ ટ્રક નં જી-જે-૧૨-બી.એકસ.-૬૪૨૯ ના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને બેફિકરાઈ પૂર્વક ચલાવી સ્કૂટર સવાર યુવાનો સાથે અથડાવતા ધ્રુવરાજ સ્કૂટર પરથી ઉછળીને ટ્રકના તોતિંગ વ્હીલ(જોટામા) આવી જતાં સગીરના પેટ પરથી વ્હીલ ફરી વળતા સગીરનુ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું જયારે જયદિપ તથા જયને નાનીમોટી ગંભીર ઈજા થતાં તત્કાળ સારવાર અર્થે પ્રથમ સિહોર સીએચસી સેન્ટર માં ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા આ અકસ્માત સર્જીને ટ્રક ચાલક વાહન ઘટના સ્થળે છોડી પોબારા ભણી ગયો હતો આ અંગે મૃતકના કાકાએ ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleબાડી-પડવા પાવરપ્લાન્ટમાં થયેલ ભંગાર ચોરીનો ભેદ ઉકેલાયો
Next articleઘોઘાના રામપરા-ગોરીયાળી ગામનાં હત્યારાઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા