ભાવનગર શહેરમાં એક જ દિવસમાં બે હત્યા

587

વરતેજ-સિદસર રોડપર આવેલ પુલ નિચેથી અજાણ્યા સગીરની લાશ મળી આવી : પોલીસ કાફલો ઘટનાસ્થળે
ભાવનગર શહેરનાં રીંગરોડ વરતેજ-સિદસર હાઈવે પર આવેલ એક નાળા નિચેથી તિક્ષ્ણ હથિયારોના અસંખ્ય ઘા ઝીકી હત્યા કરાયેલી હાલતમાં સગીરની લાશ મળી આવતા વરતેજ પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો હતો. પશુ ચરાવતા ગોવાળોએ નાળા નિચે ૧૨ થી ૧૩ વર્ષની ઉંમર ધરાવતા સગીરની લાશ જોતાં રોડપર પસાર થતાં વાહન ચાલકો-રાહદારીઓ ને વાકેફ કરતાં કોઈએ વરતેજ પોલીસને જાણ કરતાં એલસીબી તથા વરતેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરતા આ સગીરના શરિર પર ભારે ખુન્નસ સાથે ૨૦ થી વધુ તિક્ષ્ણ હથિયારો ના ઘા ઝીકી હત્યા કરી પુલ નિચે અવાવરૂ સ્થળે ફેંકી ફરાર થઈ ગયાં હોવાનું જણાયું હતું આથી પોલીસે ઘટના સ્થળે પંચનામું કરી લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી મૃતક હતભાગી ની ઓળખ તથા હત્યારાઓને ભાળ મેળવવા તજવીજ હાથ ધરી હતી .
જયારે બીજો હત્યાનો બનાવ ભાવનગર શહેરના તખ્તેશ્વર પ્લોટનં.૮-એ ના બીજા માળે ટીબીઝેડની સામે આવેલા ફ્લેટમાં અંકિતા પ્રકાશભાઇ જોશી નામની બ્રાહ્મણ મહિલાની હત્યા યુવતિની ઉંમર ૨૮ વર્ષની હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળી રહ્યું છે સવારે ભાવનગરમાં રીંગ રોડ પર એક સગીરની હત્યા થઇ હતી, તેનો ભેદ હજુ ખુલ્લો નથી ત્યાં જ સાંજે ભાવનગરમાં વધુ એક હત્યા થતા ચકચાર પોલીસ કાફલો દોડી ગયો તખ્તેશ્વર પાસે હત્યા જે બનાવ બન્યો છે તેમાં મહિલાની લાશ ગોદડા સાથે બાંધેલી છે અનેક શંકા-કુશંકાઓ અને રહસ્યો ખુલશેૅ

Previous articleઆતંકનો સફાયોઃ જમ્મુ-કાશ્મીરમાં ૨૪ કલાકમાં ૫ આતંકીઓ ઠાર
Next articleજેસરના છાપરીયાળી ગામ પાસેથી દેશી “કટ્ટા” સાથે “ઢુઢીયો” ઝડપાયો