કેરીયાના ઢાળ નજીક કાર અને રીક્ષાનો અકસ્માત : બેને ઈજા

600
guj1442018-2.jpg

બરવાળા-વલ્લભીપુર હાઈવે ઉપર આવેલ કેરીયા ઢાળ નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યકિતને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ બનાવની જાણ થતા બરવાળા ઈમરજન્સી ૧૦૮ ના ઈએમટી મુકેશભાઈ સાંથળીયા અને પાયલોટ પરેશભાઈ દુલેરા ધ્વારા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે હજુ સુધી પોલીસ ફરીયાદ નોંધાયેલ નથી.
આ બનાવ અંગે બરવાળા ઈમરજન્સી ૧૦૮ ના ઈએમટી મુકેશભાઈ સાંથળીયા પાસેથી મળતી વિગત અનુસાર બરવાળા-વલ્લભીપુર હાઈવે ઉપર આવેલ કેરીયા ઢાળ નજીક તા.૧૩/૦૪ના રોજ સવારના ૧૧ઃ૦૦ કલાકના અરસામાં આઈ.ર૦ કાર નં.જી.જે.૦પ.જે.કયુ. રપ૧૯ અને રીક્ષા નં. જી.જે. ૦૪. એ.યુ. ર૦ર૦ વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર અમરેલી ખાતેની નવજીવન હોસ્પીટલના ડોકટર હિતેશભાઈ વી.ડોંડાને ઈજાઓ પહોચી હતી તેમજ રીક્ષામાં સવાર વિક્રમસિંહ ભીખુભા રાઠોડ રહે.માલપરા,તા.વલ્લભીપુરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વલ્લભીપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઈજા પામનાર ડોકટર હિતેશભાઈ ડોંડાને પ્રાથમિક સારવાર મળ્યા બાદ અમરેલી નવજીવન હોસ્પીટલ ખાતે ખસેેડવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય વિગત અનુસાર કાર ચાલક ડો.હિતેશ ડોંડા અમરેલીથી સુરત જઈ રહયા હતા અને ઓવરટેક કરવા જતા રીક્ષા સાથે પાછળથી કાર અથડાઈ બરવાળા પાસેના કેરીયા ઢાળ પાસે અકસ્માત નડયો હોવાનું જાણવા મળેલ છે.હાલ આ બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધાયેલ નથી

Previous articleવનની ઝાડીઓમાં આગનાં બનાવો વધ્યા, આરોપીઓને રોકવામાં નિષ્ફળ
Next articleઅખિલ ભારતીય વંશાવલી સંરક્ષણ સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે પરમેશ્વર બ્રહ્મભટ્ટની વરણી