મંત્રી સૌરભ પટેલ વિસામણ બાપુની જગ્યાએ દર્શને પહોંચ્યા

936

તારીખ-૧૭ને શનિવારે પાળીયાદ પૂજ્ય વિસામણ બાપુની જગ્યામા કેબિનેટ મંત્રી સૌરભભાઈ પટેલ, રાષ્ટ્રીય કિશાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલીયા તેમજ ભાજપના કાર્યકર્તાઓ ઠાકર વિહળાનાથના અને ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત નિર્મળાબાના દર્શન કરવા આવેલ ત્યારબાદ જગ્યાના પ્રેરક અને વ્યવસ્થાપક ભયલુબાપુને અખિલ ભારતીય સંત સમિતિમાં કાયમી સભ્ય પદ તરીકેની નિમણુંક બદલ કેબિનેટ મંત્રી સૌરભભાઈ પટેલ અને રાષ્ટ્રીય કિશાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયા, પી.બી.પટેલ બોટાદ ભાજપ તાલુકા પ્રમુખ, ભુપતભાઈ જાંબુકિયા ભાજપ પ્રમુખ બોટાદ, પોપટભાઈ અવૈયા મહામંત્રી ભાજપ, છનાભાઈ કેરાળીયા જિલ્લા પ્રદેશ કારોબારી, રમેશભાઈ વ્યાસ તાલુકા મહામંત્રી ભાજપ, અશોકભાઈ પાટી તાલુકા મહામંત્રી ભાજપ, ભુપતભાઈ મેર તાલુકા પંચાયત ઉપપ્રમુખ, દેવકુભાઇ ખાચર જિલ્લા કારોબારી સભ્ય, પ્રતાપભાઈ ધાધલ તાલુકા સંપ ડાયરેક્ટર તેમજ છનાભાઈ મકવાણા બોટાદ જિલ્લા પંચાયત સભ્ય દ્વારા ભયલુબાપુનું સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યુ હતું.

Previous articleશિક્ષણ એ વિકાસનો પાયો છે- સૌરભ પટેલ
Next articleરાણપુર તાલુકાનું કિનારા ગામ સો ટકા રસીકરણયુક્ત ગામ બન્યુ