વિહિપ દ્વારા જન્માષ્ટમી નિમીત્તે શહેરમાં ભવ્ય શોભાયાત્રા કઢાઈ

172

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભાવનગર જિલ્લા દ્વારા જન્માષ્ટમી પર્વ તેમજ જન્માષ્ટમીના પવિત્ર તહેવાર ના દિવસે ૧૯૬૪ માં હિન્દુ એકતાના મંત્ર સાથે વિશ્વ હિન્દુ પરિષદ ની સ્થાપના કરવામાં આવેલ તેથી વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગર શહેર જિલ્લા ના વિવિધ વિસ્તાર માં સરકારના નિયમો અનુસાર મહા આરતી અને શ્રી કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું . તેમજ ભાવનગર શહેરના પાનવાડી વિસ્તાર ખાતે શોભાયાત્રાનું આયોજન સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ છે.આ શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ભાવનગર જીલ્લા અધ્યક્ષ ચંદ્રસિંહજી જાડેજા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવેલ. તેમજ ભાવનગરના વરતેજ ગામ ખાતે શ્રી ચત્રભુજ મંદિર તેમજ શ્રી રામજી મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યુ હતું . તેમજ ભરતનગર વિસ્તારના શિવનગરમાં તેમજ શિવનગરના ભાવ ભાવેશ્વર મહાદેવ મંદિર ખાતે તેમજ ગાયત્રીનગર મુખ્યમંત્રી આવાસ ખાતે તેમજ કાળીયાબીડ નીલમણીનગર ગૌતમ રો હાઉસ ખાતે દશામાંના મંદિર ખાતે તેમજ હાદાનગર વિસ્તાર માં શ્રધ્ધાનાથ મહાદેવ મંદિર ખાતે તેમજ વડવા તલાવડીમાં શીતળા માતાના મંદિર ખાતે તેમજ વડવા તલાવડી ના બહુચર માતાના મંદિર ખાતે તેમજ કુભારવાડાના મોતીતળાવ ખાતે તેમજ વડવા પાળીયાધાર માં શ્રી હનુમાનજી મંદિર ખાતે તેમજ નિર્મળનગર શ્રી હનુમાનજી મંદિર તેમજ ઘોઘા ગામમાં મહાદેવ મંદિર, સ્કુલ પાસે આ દરેક સ્થાન પર મહાઆરતી અને કૃષ્ણ જન્મોત્સવનું આયોજન સ્થાનિક કાર્યકર્તાઓએ સ્થાનીક લોકોના સહયોગ દ્વારા કરવામાં આવ્યું હતું.

Previous articleમણારની સગીરાનું અપહરણ કરનાર ઇસમને ઝડપી લેતી અલંગ પોલીસ
Next articleપવનદીપ અને અરુણિતાની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી